SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ કરે, દુખ કલાક વેકયું ને સુખ તે માત્ર બે મિનિટનું જ ને? એક કલાક દુખ સહન કર્યું એનું પૂરું વળતર પણ મળ્યું ખરું ? મણભર દુઃખો વેઠયા પછી ક્ષણભર સુખ આપતી સામગ્રીને સુખસામગ્રી કહેવાય? જેટલું દુઃખ વેઠ્ય એટલું પણ સુખ એ સુખની સામગ્રી ન આપી શકતી હોય તે તેની પાછળ પાગલ બનીને દેડવું તે વ્યર્થ જ છે ને ? કલાક સુધી દુઃખના અંધકારમાં અથડાવીને મિનિટો માટે સુખને પ્રકાશમાં લાવીને મૂકનાર મહિના મૃગજળ પાછળ ઘેલે બનીને દેડનાર માનવ મૂખ જ છે ને! તમે બધા શું કરી રહ્યા છે? તમે પણ જે ભૌતિક સુખની પાછળ આંધળી દેટ લગાવી રહ્યા છે તે મારે તમને શું કહેવા? (હસાહસ) તમે તમારી જાતે જ સમજી લેજે. ઘણું દુઃખ વેઠયા પછી મળેલું સુખ તે પણ ચાલ્યું જાય અને માણસને દરિદ્ર બનાવી દે તે તે માણસ જીવતે છતાં મરેલા જેવું થઈ જાય છે. માટે એ સુખ સાચું સુખ નથી. બંધુઓ ! આવા દુ અને અનુભવ કર્યા વિના સુખને સ્વાદ ચાખ હેય તે આત્મા તરફ વળવું પડશે. દરિયાના પાણીની જેમ લહેરાતા દેખાતા મૃગજળનાં જળ થેડી પણ તરસ છિપાવી નહિ શકે, પણ બે ગ્લાસ જેટલું સાચું પણ તરસ છિપાવી શકશે. આ એક સત્ય હકીકત છે. આ કલેકમાંથી આપણે એટલું સમજી શકીએ છીએ કે સંસારનું સુખ એ સાચું સુખ નથી, કારણ કે એનામાં સુખ આપવાની પિતાની શક્તિ નથી છતાં, જીવ દુઃખ ભેળવીને એ સામગ્રીમાં સુખને સ્વાદ માણી રહ્યો છે, પણ જે સાચું સુખ જોઈતું હોય તે ભૌતિક સુખને ત્યાગ કરીને આત્મા તરફ લક્ષ કરે. આત્મા અનંત સુખને સ્વામી છે. એની સેવાથી સુખના સ્વામી બની શકાય પણ સેવકની સેવાથી સ્વામી ના થવાય. સ્વામી તે સ્વામીની સેવાથી થવાય, માટે જે તમારે અનંત સુખના સ્વામી બનવું હોય તે સંસારને અવળે રાહ બદલીને મહાન પુરૂષના પંથે ચાલે. મહાન પુરૂષએ શાશ્વત સુખ મેળવવા માટે ઘણું કષ્ટ સહ્યા પછી જે સુખ મેળવ્યા તે સુખે કદી પાછા જતા નથી. એ તે કાયમ રહે છે. ' ' જે ભવિષ્યમાં શાશ્વત સુખના સ્વામી બનવાના છે તેવા નેમનાથ ભગવાન અને રાજેમતીના પૂર્વભવની આપણે વાત ચાલે છે. તેમનાથ ભગવાનને આત્મા પાંચમા ભાવમાં અપરાજિતકુમાર બન્યા છે. અપરાજિતકુમાર જ્યાં ગયા ત્યાં તેમને સત્કાર અને સન્માન મળ્યા. દરેક જગ્યાએ રાજાઓએ તેમને કન્યા પરણાવી. પાંચ પાંચ રાજકુમારી સાથે અપરાજિતકુમારના લગ્ન થયા પણ કદી એમના મનમાં એ વિચાર સરખો પણ નથી આવતું કે હું કે હેશિયાર છું. મારા પુણ્યને કે પ્રભાવ છે કે હું જ્યાં જાઉં છું ત્યાં મને ખમ્મા ખમ્મા થાય છે. મહાન પુરૂષને ગમે તેટલું સુખ અને સંપત્તિ મળે તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy