SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્તા સુવાસ - મહાત્મા આ લપમાંથી છૂટવા માટે આટલું કહીને ધ્યાનમાં બેસી ગયા. એમને કયાં કેદની પરવા હતી, એમને ભૂખ લાગે ત્યારે ભૂખે સુકે ટલે ભિક્ષા માં લાવીને ખાઈ લેતા ને ધ્યાનમાં બેસી જતા. શેઠને હર્ષનો પાર ન રહ્યો. એમણે માની લીધું કે મને સંતના આશીર્વાદ મળી ગયા. સંતના વચન ઉપર શ્રદ્ધા થઈ ગઈ એટલે શેઠે તે ખૂબ દાન, પુણ્ય કરવા માંડ્યું. ધર્મધ્યાન કરવા લાગ્યા. પુણ્યની બલીહારી છે. પુણ્યથી ઘણી વાર ન ધારેલા કાર્યો સફળ થઈ જાય છે, અને પાપને ઉદય થાય તે ધારેલું ધૂળ ભેગું થઈ જાય છે. મહારાજના કહ્યા પછી શેઠને ઘેર એક વર્ષે પારણું બંધાયું. શેઠ શેઠાણ તે રાજી રાજી થઈ ગયા ને પુત્ર જન્મની ખુશાલીમાં આખું ગામ જમાડવાનું નકકી કર્યું. શેઠે વિચાર કર્યો કે જે મહાત્માના આશીર્વાદથી મારે ઘેર પારણું બંધાયું છે તેમને હું સૌથી પહેલાં આમંત્રણ આપવા જાઉં. શેઠ મહાતમા પાસે આવીને ચરણમાં મૂકીને બેલ્યા–હે ગુરૂદેવ ! આપના આશીર્વાદથી મારે ઘેર કલ્પવૃક્ષ ફળ્યું છે. મારે ઘેર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. તેની ખુશાલીમાં આવતી કાલે આખું ગામ જમવાનું છે. તે કૃપા કરીને આપ મારું આંગણું પાવન કરે.” “શેઠનું આમંત્રણ નહિ સ્વીકારતા સંત" :- મહાત્માએ કહ્યું-ભાઈ! એ તે તમારા પુણ્યોદયે પુત્રની પ્રાપ્તિ થઈ છે. મારા આશીર્વાદ એમાં નિમિત્તભૂત નથી. એમાં મારો ઉપકાર માનવાની જરૂર નથી. સંતે જેટલા આત્મસાધનામાં લીન રહે તેટલું સારું છે અને હું ભિક્ષા લેવા સિવાય ગામમાં આવતા નથી ને મિષ્ટાન્ન તે હું કદી ખાતે નથી. મેં જિંદગીમાં મિષ્ટાન ચાખ્યું નથી. જે ચારિત્ર વિશુદ્ધ પાળવું હોય તે સૌથી પહેલા રસેન્દ્રિયને વશ કરવી જોઈએ. માટે હું આપના આમંત્રણને સ્વીકાર કરી શકું તેમ નથી. આટલું કહીને સંત તે એમના ધ્યાનમાં બેસી ગયા. શેઠને તે સંત ઉપર ખૂબ શ્રદ્ધા છે. એમના મનમાં એમ થયું કે જેમના પ્રતાપે પુત્ર થયે એની ખુશાલીના જમણને એક કણ જે સંતના મુખમાં જાય તે મારું અન્ન પવિત્ર થાય. સંતે ના પાડી તેથી શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું. શેઠ પાછા આવ્યા. બીજે દિવસે લેકે જમવા આવ્યા. પાંચ પ્રકારના પકવાન અને બધી રસોઈ તૈયાર છે. આનંદનો પાર નથી પણ એક સંત ન પધાર્યા એનું શેઠના દિલમાં દુઃખ છે. શેઠે વિચાર કર્યો કે ભલે મહાત્મા ન પધાર્યા પણ હું બીજું કંઈ નહિં, આ પાંચ પ્રકારના પકવાન સેનાના થાળમાં મોકલાવું. સહેજ ચાખશે તે પણ મને આનંદ થશે. એમ માનીને સેનાના થાળમાં મિષ્ટાન ભરીને એક નેકરને થાળ લઈને મહાત્મા પાસે મેક. નેકર થાળ લઈને મહાત્માની કુટીરમાં આવીને કહે છે મહારાજ ! શેઠે આપને માટે આ મીઠાઈ મકલી છે. સંતે કહ્યું –ભાઈ! મેં તારા શેઠને કાલે જ ના પાડી હતી કે હું મીઠાઈ ખાતે નથી છતાં મીઠાઈ શા માટે મેકલાવી? શું તારે શેઠ સંતેને પતીત કરવા માંગે છે? નેકરે કહ્યું–સાહેબ! શેઠને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy