SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી સુવાસ असासए सरीरम्मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुय सन्निभे ॥ અ. ૧૯, ગાથા ૧૩ આ શરીર અશાશ્વત છે. તેમાં આનંદ પામવા જેવું નથી. કારણ કે પાણીના પરપિટ જેવું આ શરીર પહેલાં કે પછી અવશ્ય નાશ થવાનું છે. જૈનશાસ્ત્રમાં ભગવાને પાંચ પ્રકારના શરીર બતાવ્યા છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કામણ શરીર. આ પાંચ શરીરમાં નારકી અને દેવે વૈકિય, તૈજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. અંશી તિર્યંચ પચેન્દ્રિયને અને વાયરાને ઔદારિક, તેજસ, કામણ અને વૈકિય એ ચાર શરીર હોય છે. પૃથ્વી, પાણી, તે, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય પચેન્દ્રિય અને જુગલીયા વિગેરેને ઔદારિક, તેજસ અને કાશ્મણ એ ત્રણ શરીર હોય છે. પંદર કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યને પાંચે પાંચ શરીર હેય છે. આહારક શરીર તે લબ્ધિવંત ચૌદ પૂર્વધારી સાધુને હોય છે. એ આહારક શરીર કયારે બનાવે છે? જ્યારે કોઈ પ્રશ્નમાં શંકા પડે, તેનું કઈ રીતે સમાધાન ન થાય ત્યારે તે શંકાનું સમાધાન કરવા માટે પિતાના શરીરમાંથી પુદ્ગલ કાઢીને મૂઢા હાથનું શરીર બનાવીને મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન પાસે જાય. ત્યાં જઈ ભગવાન પાસે શંકાનું નિવારણ કરીને પાછા આવે કે તરત જ તે શરીર વિખેરી નાંખે ને જતાં આવતાં લાગેલા દેષનું પ્રાયશ્ચિત કરે. પાંચ શરીરમાં સાધના કરવા માટે જે કઈ પ્રધાન શરીર હોય તે ઔદારિક શરીર છે, પણ એ શરીરને ક્ષણ વાર વિશ્વાસ કરવા જેવું નથી. કયારે રોગ અવશે અથવા જ્યારે વિદાય લેવી પડશે તેની ખબર નથી. માટે સમજે. સાધના કરવાનો સમય થેડે છે ને કામ ઘણું છે. કવિઓ કહે છે કે શ્વાસે શ્વાસ આ ખર્ચાઈ જાય, આયુષ્યની દેરી થાતી મૂકી, કંઈક ગયા કઈક જવાના, કંઈકને દીધા કૂકી. ” મનુષ્ય જીવનના એકેક શ્વાસે માનવી ધારે તે કર્મોની નિર્જરા કરી શકે છે. આ એકેક શ્વાસોશ્વાસ કેટલા કિંમતી છે! આત્માથી પુરૂ શ્વાસે શ્વાસે કર્મની નિર્જરા કરે છે, અને સંસાર સુખના અથી આત્મા શ્વાસે શ્વાસે કર્મો બાંધે છે. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે. અરે! તમે તે કંઈકને તમારી કાંધે ચઢાવી સેનાપુરીમાં પહોંચાડી આવ્યા. તમે નજરે દેખ છે છતાં વૈરાગ્ય નથી આવતું. જંબુકુમારે એક જ વખત સુધમસ્વામીની વાણી સાંભળી ત્યાં વૈરાગ્ય પામી ગયા. એ પ્રસંગ જાણવા જેવું છે. પાંચમા ગણધર સુધર્માસ્વામી રાજગૃહી નગરીની બહાર શ. જી. ૮
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy