SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૧૩ જ્ઞાની કહે છે કે હે જીવડા! તું સમજ. જેમ એકેક તરણું કાઢતાં પંખીને માળો વીંખાઈ જાય છે, ગરમ શાલમાંથી એકેક તાંતણે છૂટો કરતાં શાલ પણ વખાઈ જાય છે તેમ આ દિવસ અને રાત્રી રૂપી આયુષ્યના તરણ વિખૂટા પડતાં જીવ રૂપી પક્ષીને મળે વીંખાઈ જાય છે. પુત્ર જન્મે એટલે માતા સમજે છે કે મારે દીકરે મોટે થાય છે પણ કાળરાજા દિવસ ગણુતા જાય છે કે કયારે એનું આયુષ્ય પૂરું થાય ને હું તેને લઈ જાઉં તમને જિંદગીની અમૂલ્ય ક્ષણેનો હિસાબ નથી પણ એ તે ક્ષણેક્ષણને હિસાબ રાખે છે. એક દિવસ જિંદગીને ખેલ ખતમ થઈ જશે. આવી કિંમતી જિંદગીમાં પરની પળોજણ છેડીને સ્વમાં લીન બને, પરથી ભિન્ન બને, અને વિચાર કરે કે હે પ્રભુ! તું જે પદને પામે છું તે પદને મારે પામવું છે. એ પદ્યની પ્રાપ્તિ માટે હે પ્રભુ! મને “આ વોદિમ” આરોગ્યતા–રોગરહિતપણું આપે, મને બધિલાભ-સમ્યકત્વની પ્રાપ્તિ થાય. તમે આવી માંગણું તે કરે છે પણ એ પામવા માટે ભગવાનની આજ્ઞા શું છે? મારે શું કરવું જોઈએ? તેને વિચાર નથી કરતા પણ સંસાર સુખની ઇચ્છા કરે છે. પછી એ કયાંથી મળે? તમને શરીર નિરોગી જોઈએ. શરીર નિરોગી હોય તે બધું ગમે છે. એટલે કહો છે ને કે ““પહેલું સુખ તે જાતે નર્યા વાત સાચી છે. શરીર સારું હોય તે બધું ગમે છે પણું શરીર સારું હોય તે ધર્મધ્યાન વધુ થાય તે વિચાર આવે છે? તમે તે તમારા સંસારમાં સુખી થવા માટે ચાર બેલ ઠીક ગઠવી દીધા છે. એ તમને આવડતા હશે? બેલે ઈએ. બેતામાંથી અવાજ: “બીજું સુખ તે કેઠીએ જાર) એ ઠીક કહ્યું. શરીર સારું હોય ને ખાવા માટે કોઠીમાં અનાજ ભર્યું હોય પછી ચિંતા શું ? હવે આગળ બેલે. “ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે પુત્ર પરિવાર” (હસાહસ) તમને શરીર સારું મળ્યું, પુણ્યથી પૈસા મળ્યા, પત્ની સારી મળી અને પુત્ર પરિવાર વળે એટલે સંસાર-સુખની વાડી લીલીછમ થઈ ગઈ બસ, પછી તમને તે આનંદ આનંદ. સુખની કંઈ સીમા ન રહી, પણ વિચાર કરજે. એ સંસારસુખની વાડી ક્યારે કરમાઈ જશે તેની ખબર નથી. તમે ચાર બેલ કહ્યા. હવે હું તમને જ્ઞાનીના ચાર બેલ કહું. “પહેલું સુખ તે આત્મજ્ઞાન.” જેને આત્માનું જ્ઞાન થયું છે તે આત્મજ્ઞાની પુરૂષ સારી દુનિયાને ધ્રુજાવી શકે છે. અજ્ઞાની સામે પડકાર કરીને તેને હઠાવી શકે છે. એ ભલે, કર્મના ઉદયથી સંસારમાં રહેતે હોય પણ સંસારર્થી પર હોય. એને સંસારના રંગરાગ ન ગમે. એનું મન તે આત્મિક સુખની મસ્તીમાં જ હાલતું હોય. “બીજું સુખ તે ચારિત્રવાન” જેને અધ્યાત્મની વાતે ગમતી હોય તેને ચારિત્ર અવશ્ય ગમે. આત્માણાની ચાસ્ત્રિવાન બની શકે છે. જડને પૂજારી ચારિત્ર ન લઈ શકે. ભગવાનેદુનિયામાં ચારિત્રવાન સાધુ કરતા બીજા કેઈને સુખી નથી કહા. માટે બીજું સુખ તે ચારિત્રવાની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy