SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પ્રેમ એ છે કે ન હતું, એને મન રામ વિના બધું શૂન્ય હતું. સીતાજીના શુદ્ધ પ્રેમના કારણે રામ સીતાજીને શોધતા શોધતા છેક લંકામાં આવ્યા. આવી રીતે રુકિમણીને પણ અનેક પ્રકારના કષ્ટો આપવામાં આવ્યા અને પ્રભુને પણ ખૂબ આપવામાં આવ્યા છતાં રુકિમણીને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અડગ રહ્યો હતે. એ અનન્ય પ્રેમને મહિમા હતા. જે અનન્ય પ્રેમ ન હોય તે થોડે ભય કે પ્રલેભન મળે ત્યાં જીવન બદલાઈ જાય છે. જે પ્રેમમાં કેવળ વિષય ભેગની જ લાલસા છે તે અનન્ય પ્રેમ નથી કહેવાતે. વિષય સુખજન્ય પ્રેમ વિષય સુખ મળતું બંધ થતા નાશ પામે છે. પરદેશી રાજા અને સૂરીલંતા રાણીને કે પ્રેમ હતે? પણ પરદેશી રાજા ધર્મ પામ્યા, અને સૂરિકંતાનો વિષય સુખ મળતું બંધ થઈ ગયું એટલે સૂરીલંતાએ જાણ્યું કે હવે આ પતિ મારે શું કામ છે? પિતાને સ્વાર્થ પૂરો થયે એટલે સૂરીમંતા રાણીએ પરદેશી રાજાને ઝેર આપ્યું. આ સાચે પ્રેમ ન કહેવાય. આજે સંસારમાં જ્યાં સુધી પતિ ખૂબ કમાતે હેય ને પત્નીને સુખ આપતે હેય ત્યાં સુધી ખમ્મા ખમ્મા કરે છે પણ જ્યારે માં પડે ને કમાતે બંધ થાય ત્યારે શું થાય તેને ઘણને અનુભવ છે. આ પ્રેમ એ પ્રેમ નથી પણ એહ છે, સંસારને સ્વાર્થ છે. રામતીના હૃદયમાં અરિષ્ટ નેમિનાથ ભગવાન પ્રત્યે જે પ્રેમ હતું તે અનન્ય પ્રેમ હતું. તેને આ પ્રેમ માત્ર આ જ ભાવથી ન હતે પણ આઠ આઠ ભવથી ચાલ્યો આવતે હતે. જે રાજેમતી વિષયસુખની લાલસાથી જ નેમનાથ ભગવાન પ્રત્યે પ્રેમ ધરાવતી હેત તે તે નેમકુમાર તેરણદ્વારેથી પાછા ફર્યા ત્યારે જ એને પ્રેમ તૂટી જાત અને તે બીજા કેઈ રાજકુમારને પિતાનું પ્રેમપાત્ર બનાવી લેત. નેમકુમાર પાછા ફર્યા પછી એના માતાપિતાએ બીજે લગ્ન કરવા માટે એને ઘણું સમજાવી હતી છતાં એણે લગ્ન કર્યા નહિ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રામતી નેમનાથ ભગવાન પ્રત્યે માત્ર વિષયસુખની લાલસાથી પ્રેમ કરતી ન હતી પણ એને સ્વાભાવિક અનન્ય પ્રેમ હતે. પતિ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતી કુલાંગનાઓ વિષયસુખને માટે જ પતિ સાથે પ્રેમ કરતી નથી પણ તેમનામાં પતિ પ્રત્યે સહજ પ્રેમ હોય છે અને એ જ કારણે તે પ્રેમ અનન્ય પ્રેમની સીમા સુધી પહોંચે છે. મહાન સતી રામતીએ પિતાના અનન્ય પ્રેમપાત્ર અરિષ્ટનેમિનાથ ભગવાનના માર્ગનું બરાબર અનુસરણ કર્યું. જેમકુમાર તેરણદ્વારેથી પાછા ફરીને દ્વારકા ગયા ને પિતાના મહેલમાં રહીને એક વર્ષ સુધી વષીદાન દીધું ને પછી દીક્ષા લીધી તે રાજેસતી પણ ત્યાં સુધી અનાસક્ત ભાવે ઘરમાં રહી અને પછી તેણે પણ ભગવાને બતાવેલા ત્યાગમાર્ગે પ્રયાણ કર્યું. જે મોક્ષપદને પામવા માટે ભગવાન પ્રયત્નશીલ હતા તેને માટે રામતી પણ પ્રયત્નશીલ હતા. આ પ્રમાણે ભગવાનનું પદાનુશમન કરતી રાજમતી ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની સેવામાં હાજર થઈ. આજે એના દિલમાં એ આનંદ અને ગૌરવ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy