________________
વદી ૮]. રાજકેટ ચાતુર્માસ
[ ૬૦૭ કાયરતાપૂર્ણ વાત સાંભળવાને માટે પણ તૈયાર નહિ હોય. જે સાચે વીર હશે તે આડીઅવળી વાતો પર ધ્યાન પણ નહિ આપે. તેના મનમાં એક જ ધૂન હેય કે, જે પાતામિ યા કા રાષrfમ અર્થાત કાં તે મરી જાઉં અથવા કામ પૂરું કરી આવું. સાધુઓ પણ આવા જ ધર્મવીર હોય છે. સાધુઓ સાધુતાને સ્વીકાર કરી એમ વિચાર કરતા નથી કે “કદાચિત સાધુતાનું પાલન થઈ ન શકે અને સંસારમાં જવું પડે તે તે વખતે સંસારમાં કેવી રીતે ભરણપોષણ થશે ? એટલા માટે જંત્ર મંત્ર શીખી લેવાં અને જ્યોતિષ જાણી લેવું જેથી સંસારમાં ભરણપોષણ તે થઈ શકે.” સાચા સાધુઓને આવો વિચાર પેદા થતું જ નથી. તેઓ તે વાતમMમવિમુક્ષ અર્થાત-જીવનની આશા અને મરણને ભય પણ રાખતા નથી. તેઓ તે સાધુતામાં જ મસ્ત રહે છે અને કર્મશત્રુઓને જીતવામાં જ પ્રયત્નશીલ રહે છે.
અનાથી મુનિ પણ ઉગ્ર હતા. જેમને માતાપિતા, ભાઈબહેન, પત્ની વગેરે પરિવારજ હોય, જેમની પાસે વિપુલ ધનસંપત્તિ હોય અને જે મરણ પથારીએથી ઉઠયા હોય તેની ઈચ્છા કઈ હોય ? એવી દશામાં ભોગપભોગ કરવાની ઈચ્છા કેની ન હોય? કદાચિત સાધુ બનવાને કોઈ પ્રસંગ પણ તેની સામે આવે તે પણ એકવાર એવો વિચાર તે આવી શકે કે, હજી એક બે વર્ષ તે મોજમઝા માણું લઉં, પછી સાધુ થવા વિષે જોવાઈ જશે. પણ અનાથી મુનિ એવા ઉગ્ર હતા કે તેમણે શરીરનો રંગ શાન્ત થતાં જ પિતાના પરિવારજનને એમ કહ્યું કે, હવે મને દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા આપો અને કુટુંબીજનેની આજ્ઞા લઈ તેમણે દીક્ષા પણ લઈ લીધી. અનાથી મુનિ એવા ઉગ્ર હતા. ધનસંપત્તિ અને પરિવારને આ પ્રમાણે ત્યાગ કરી દેવો અને પછી તે તરફ જેવું પણ નહિ એ શુ ઓછી વીરતા છે?
ઉગ્ર સાધુનું લક્ષણ શું છે? એ બતાવવા માટે કહ્યું છે કે, અનાથી મુનિ ઈન્દ્રિયોને જીતનાર હતા. ઈન્દ્રિયો અને નેઈન્દ્રિય-મનને પિતાના વશમાં રાખનાર હતા. ઉગ્રપુરુષ જ ઇન્દ્રિયને વશ થતું નથી. ઇન્દ્રિયને પિતાના વશમાં રાખનાર જ દાનત છે. અનાથી મુનિ દાન્ત હતા.
ક્ષત્રિયોને હાથની ઉપમા આપવામાં આવી છે. આખા શરીરને સ્પર્શ કરી શકે અને આખા શરીરને તપાસી શકે એ સુવિધા માત્ર હાથને જ પ્રાપ્ત થએલ છે અને હાથ જ એ યોગ્યતા ધરાવે છે. શરીરનું પાલન કરનાર પણ હાથ જ છે. કમાણીની દષ્ટિએ તથા ખાવાપીવાનું કાર્ય કરવાની દૃષ્ટિએ હાથ જ શરીરનું પાલન કરે છે. લખવું, વાંચવું કે બીજું કઈ કામ કરવું એ હાથ દ્વારા જ બની શકે છે. જે હાથ ન હોય તે કાંઈ કામ થઈ શકતું નથી. હાથ શરીરના કેઈપણ ભાગની ઘણા કરતા નથી. તે મુખને પણ સાફ કરે છે અને પગને પણ સાફ કરે . ક્ષત્રિયને માટે પણ હાથની ઉપમા આપવામાં આપી છે. ક્ષત્રિયો પણ બધાનું પાલન કરે છે અને કેઈની ઘણું કરતા નથી. તેઓ બ્રાહ્મણોનું પણ પાલન કરે છે અને ભંગીઓનું પણ પાલન કરે છે. તેઓ બધાની તપાસ રાખે છે. જે પ્રમાણે હાથ આખા શરીરને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે ક્ષત્રિય પણ બધાને પિતાના વશમાં રાખે છે. વીરતા ક્ષત્રિામાં હોય છે.