SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા હરિલાલ ગાંધી જે હવે અબદુલ્લા ગાંધી બન્યા છે તેમને તેમના માતુશ્રીએ એક પત્ર લખ્યો હતો કે જે પત્ર વાંચીને કઠેર હૃદયને પણ પીગળી જાય. હરિલાલ ગાંધીએ એ પત્રના જવાબમાં એક વાત તે એ લખી કે હવે હું હરિલાલ રહ્યો નથી પણ અબદુલ્લા બન્યો છું અને આ પત્ર હરિલાલના નામે આવ્યો છે એટલા માટે એ પત્ર મારા વિષે નથી. પણ બીજી વાત તેણે એ લખી કે, જો મારા માતાપિતા ઈસ્લામ ધર્મને સ્વીકાર કરતા હોય તે હું શરાબ પીવાને ત્યાગ કરું. આ ઉત્તર કે ઉદ્ધતાઈભર્યો છે! શું તેને આ ઉત્તર માતાને દેવાને યોગ્ય છે? પણ જ્યારે આત્મ પતિત થઈ જાય છે ત્યારે તે અવળું જ કામ કરે છે. વાસ્તવમાં તે હરિલાલની માતાના પત્રને ઉત્તર આપવાને કોઈ સમર્થ નથી. છતાં જે આ પ્રમાણે જે ઉદ્ધતાઈપૂર્ણ ઉત્તર આપે છે તેને શું કહેવું? તે કહે તે એમ છે કે, મેં આત્માના કલ્યાણ માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ જે તે વિષે ઊંડા ઊતરી વિચાર કરવામાં આવે તે શરાબ પીવા માટે તથા એ કાર્યમાં પૈસા વગેરેની સુવિધા પ્રાપ્ત કરવા માટે જ તેણે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો હોય એમ જણાય છે. કહેવાનો આશય એ છે કે, લેકે ધર્મ કે સમાજપરિવર્તનના નામે પિતાના સ્વાર્થની પૂર્તિ કરે છે અને આત્મકલ્યાણનું નામ લે છે. જે હૃદયપૂર્વક આત્મકલ્યાણ કરવું જ હોય તે મનુષ્ય, કોઈ પણ ધર્મની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભા રહી પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. લેકોને ઠગવા માટે આત્મકલ્યાણનું નામ લઈ ધર્મ પરિવર્તન કે સમાજપરિવર્તન કરવું એ ઠીક નથી. આ વાતથી લેકેને સાવધાન કરવા માટે જ ઉપરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. - મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્યતા પિતાનામાં છે કે નહિ તે જેવું જોઈએ. યોગ્યતા વિના કોઈપણ કાર્ય બરાબર થતું નથી. જેમકે, છીપમાં પાણીનું ટીપું પડી મેતી બનવાની યેગ્યતા ધરાવે છે પણ જે પાણીને બદલે છીપમાં કાંકરો કે બીજી કઈ ચીજ પડે તે શું તે મોતી બની શકશે ? નહિ. કારણ કે મોતી બનવાની યોગ્યતા પાણીમાં જ છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ યોગ્યતાની આવશ્યક્તા રહે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે, અને તે માટે અસત્ય, દુરાચાર આદિને ત્યાગ કરે. આમ કરવાથી પરમાત્માની પ્રાર્થનાને યોગ્ય બની શકશો. હવે અન્ને એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, જે પહેલાં દુર્ગણી હોય તે પરમાત્માની પ્રાર્થના કરી શકે કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાનું કે – વૈશ્યા ચુગલ છિનાર જુઆરી, ચોર મહા બટ મારે; જે ઇત્યાદિ ભજે પ્રભુસ્તવન તે નિવૃત્ત સંસારે. આ પ્રકારના લેકે પણ પિતાના દુર્ભસનેને ત્યાગ કરી, પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પરંતુ પરમાત્માની પ્રાર્થના દુર્ગણે વધારવા માટે નહિ પણ છોડવા માટે કરવી જોઈએ. જે દુર્ગુણો છોડવાના ઉદ્દેશથી પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે તમારા દુર્ગણે ન જાણે ક્યાં ચાલ્યા જશે ! જેમકે એક ભાઈ કહેતા હતા કે, જામનગરમાં એક એવા વૈદ્ય છે કે એક માણસને ઘણું દિવસોથી નિદ્રા જ આવતી ન હતી પરંતુ તે વૈદ્યની ત્રણ ગોળીઓ લેવાથી જ તેને નિદ્રા આવી ગઈ અને તેને નિદ્રા ન આવવાને રોગ સદાને
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy