SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકેટ ચાતુર્માસ . [૨૮૫ પરિશિષ્ટ પહેલું વિહાર નેંધ [જેઠાણું સ્ટેશન (મારવાડ) થી રાજકેટ શહેર સુધી ] શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે સંવત ૧૯૯૧નું ચાતુર્માસ શ્રી રતલામમાં કરેલ ત્યાંથી લગભગ ૨૨૫ માઈલનો વિહાર કરી પૂજ્યશ્રી ખ્યાવર અને ત્યાંથી જેઠાણ ગામે પધાર્યા હતા. શ્રી જેઠાણું (મારવાડ)માં પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબને ચાતુર્માસ માટે રાજકોટ શ્રીસંધે, જોધપુર શ્રીસંધે, બીકાનેર શ્રીસંઘ, અજમેર શ્રીસંઘે, આદિ શ્રીસંઘએ, વિનંતિ કરી હતી જેના જવાબમાં પૂજ્યશ્રીએ સંવત ૧૯૯૨ના ચૈત્ર સુદી ૫ તા. ૨૯-૩-૩૬ ને રવિવારને દિવસે ફરમાવ્યું હતું કે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ખુલ્લાં રાખી, સામ્પ્રદાયિક કોઈ કાર્ય આવી પડે અને તે કારણે કઈ પ્રકારની રોકાણ થઈ જાય તો તે વાત જુદી છે, નહિ તે સુખ-સમાધિએ કાઠિયાવાડ તરફ રાજકેટ–ચાતુર્માસને માટે વિહાર કરવાનો ભાવ છે. રોકાઈ જવાનું કારણું ઉપસ્થિત થાય તે રાજકોટ શ્રીસંઘને તેની સૂચના આપવામાં આવે અને શ્રી સંધ મને ઉદારતાપૂર્વક મુક્ત કરે.” આ પ્રમાણે રાજકેટ-ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ફરમાવ્યું હતું અને સંવત ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે રાજકોટ તરફ જેઠાણાથી વિહાર કર્યો હતો. પૂજ્યશ્રીની સાથે મુનિશ્રી વક્તાવરજી મ., મુનિશ્રી સૂરજમલજી મ., મુનિશ્રી મેહનલાલજી મ., મુનિશ્રી શ્રીમલજી મ., મુનિશ્રી ચુનિલાલજી મ., મુનિશ્રી મોતીલાલજી મ., મુનિશ્રી ગોકુલચંદજી મળ, મુનિશ્રી કુલચંદજી મ., આદિ સંતે હતા.* * * જેઠાણાથી રાજકોટ સુધીના લગભગ ૪૫૦ માઈલના પૂજ્યશ્રીના વિહારની સંક્ષિપ્ત નોંધ આપવી યોગ્ય જણાયાથી નીચે પ્રમાણે આપવામાં આવે છે. સંવત્ ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે જેઠાણું (મારવાડ) થી કાઠિયાવાડ તરફ વિહાર માઈલ ગામ જૈન ઘર | માઇલ ગામ જૈન ઘર ખરવા ૩૦ | ૫ ખ્યાવર - ૪૦૦ ૩ ચાકી (પીપલેદા) ચિત્ર શુકલા ૧૧ ને ગુરુવારને દિવસે ખ્યાવરથી વિહાર ૩ જાલિયા ૪ | ૭ બર ૨૫ ૬ સેંદડા ૬ રાયપુર * મુનિશ્રી સૂરજમલજી મ. મુનિશ્રી શ્રીમલજી મ. અને મુનિશ્રી ચુનીલાલજી મ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ અહમદનગરનું હોવાથી, તેઓ અહમદનગરથી જેઠાણ સુધી લગભગ ૬૦૦ માઇલને વિહાર કરીને આવ્યા હતાં. અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે કાઠિવાડ તરફ આવેલ હતા.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy