SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બાહ્ય રૂપનો પ્રતિબંધ નથી. પરિપૂર્ણભાવ સાધુતા અખિલ સંસારમાં જ્યાં પણ, જે કોઈપણ વ્યક્તિમાં, અભિવ્યક્ત હોય એ વંદનીય છે. “નોઈ' શબ્દથી આખા વિશ્વમાં જે કોઈપણ રૂપમાં ભાવ-સાધુ હોય એ બધાને નમસ્કાર કરવામાં આવ્યા છે આ કેટલો વ્યાપક, ઉદાર અને દીપ્તિમાન આદર્શ છે. ઉપરના નમસ્કાર મહામંત્રનાં પાંચ પદોમાં આરંભના બે પદ દેવ-કોટિમાં આવે છે અને છેલ્લાં ત્રણ પદ ગુરુ-કોટિમાં અરિહંત અને સિદ્ધ વિકાસની પરાકાષ્ઠાઓ પર પહોંચી શકે છે. એમણે પોતાનું સાધ્ય સિદ્ધ કરી લીધું છે, માટે તે સિદ્ધ છે, દેવ છે. અરિહંત જીવનમુક્ત અને સિદ્ધ દેહમુક્ત છે. વંદનાના ૩૨ દોષ ૧. અનાદત ઃ આદરભાવ વિના વંદના કરવી. ૨. સ્તબ્ધ જાત્યાદિ મદપૂર્વક વંદના કરવી અર્થાત્ દંડાયમાન રહેવું, ઝૂકવું નહિ, રોગાદિ કારણનો આગાર છે. ૩. પ્રવિદ્ધ : અનિયંત્રિત રૂપથી અસ્થિર થઈને વંદના કરવી, અથવા વંદના અધૂરી જ છોડીને ચાલ્યા જવું. ૪. પરિપિંડિત : એક જગ્યા પર રહીને આચાર્ય વગેરેને પૃથક-પૃથક વંદના ન કરીને એક જ વંદનાથી બધાને વંદના કરવી. અથવા જાંઘ પર હાથ રાખીને કે હાથ પર હાથ બાંધીને અસ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક વંદના કરવી. ટોલગતિ ઃ તીડની જેમ આગળ-પાછળ કૂદીને વંદના કરવી. ૬. અંકુશ : રજોહરણને અંકુશની જેમ બંને હાથે પકડીને વંદના કરવી અથવા હાથીને જેમ બળપૂર્વક અંકુશ દ્વારા બેસાડવામાં આવે છે, એમ આચાર્ય વગેરે ઊંઘેલા હોય કે અન્ય કોઈ કાર્યમાં સંલગ્ન હોય, તો અવજ્ઞાપૂર્વક હાથ ખેંચીને વંદના કરવી અંકુશ-દોષ છે. કચ્છપરિગતઃ તિત્તીસગ્નયરી' વગેરે પાઠ કહેતાં ઊભા ન થઈને અથવા મહોયંજય' વગેરે પાઠ બોલતાં સમયે ન બેસીને કાચબાની જેમ ઘસડતાં અર્થાત્ આગળ-પાછળ ચાલતા વંદના કરવી. ૮. મત્સ્યોદ્યુત : આચાર્યાદિને વંદના કર્યા પછી બેઠા-બેઠા જ માછલીની જેમ જલદી પાછળ ફેરવીને પાસે બેસેલા અન્ય રત્નાધિક સાધુઓને વંદના કરવી. ૯. મનસા પ્રવષ્ટિઃ રત્નાધિક ગુરુદેવ પ્રતિ અસૂયાપૂર્વક વંદના કરવી, મનસા પ્રવિષ્ટ-દોષ છે. ૧૦. વેદિકાબદ્ધ બંને ઘૂંટણોના ઉપર, નીચે, પાછળના ભાગે અથવા ખોળામાં હાથ રાખીને કે કોઈ એક ઘૂંટણને બંને હાથોના વચ્ચે રાખીને વંદના કરવી. ૧૧. ભય : આચાર્ય વગેરે ક્યાંક ગચ્છથી બહાર ન કરી દે, એ ભયથી એમને વંદના કરવી. [ સાધુ 2000 2000 2000 પછ)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy