SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી સૂત્ર” શતક-૧, અ.-૭ સૂત્ર-૬૨માં કહ્યું છે કે – "तहारुवस्स समणस्स माहणस्स वा अंतिए एगमवि आयरियं धम्मियं वयणं सोच्चा निसम्म तओ भवइ संवेग, जाए सद्दे तिव्व धम्माणु राग रत्ते । सेणं जीवे धम्मकांखए, पुण्णकांखए सग्गकांखए, मोक्खकांखए..... તથા રૂપ શ્રમણ માહણથી એક પણ આર્ય ધાર્મિક વચનને સાંભળીને સમ્યગુદૃષ્ટિ જીવ શ્રદ્ધાશીલ, સંવેગશીલ અને તીવ્ર ધર્માનુરાગવાળો હોય છે. તે ધર્મની કામના કરે છે, પુણ્યની કામના કરે છે, સ્વર્ગની કામના કરે છે અને મોક્ષની કામના કરે છે. આ આગમિક પાઠમાં પુણ્યની કામના કરવાનું કહ્યું છે. એનાથી સિદ્ધ થાય છે કે સર્વોચ્ચ સ્થિતિના પૂર્વ સુધી પુણ્ય ઉપાદેય, આદરણીય અને ગ્રાહ્ય છે. પણ એ અવશ્ય છે કે તે અંતિમ સાધ્ય (લક્ષ્ય) નથી, અંતિમ સાધ્ય તો મોક્ષ જ છે. જે પક્ષ પુણ્યને એકાંતતઃ હેય બતાવે છે, એના મતાનુસાર તો તીર્થકર નામ કર્મ પણ ત્યાજ્ય જ લાગશે. તેથી જ્યાં સુધી મોક્ષ સન્નિકટ નથી ત્યાં સુધી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે. શાસ્ત્રોમાં દરેક સ્થળ પર પુણ્યનો મહિમા પ્રગટ કર્યો છે. તેરમા ગુણસ્થાન સુધી પુણ્ય પ્રકૃતિ રહે અને બંધાય છે. સારાંશ એ છે કે પુણ્યના વિશે એકાંત પક્ષ ગ્રહણ કરવું ઉચિત નથી. જે તત્ત્વ સર્વોચ્ચ સ્થિતિ ઉપર પહોંચતા સમયે છોડવા યોગ્ય હોય છે, એને પ્રાથમિક અને માધ્યમિક સ્તર પર જ છોડવા યોગ્ય માની લેવું કદીય સંગત નથી કહી શકાતું. મોક્ષપ્રાપ્તિની સ્થિતિમાં પુણ્ય તત્ત્વ સ્વયંમેવ છૂટી જાય છે, એને છોડવાની આવશ્યકતા નથી પડતી. તેથી પ્રાચર્યની અપેક્ષાએ પુણ્ય તત્ત્વને ઉપાદેય સમજવું જોઈએ. પુણ્ય સંબંધિત ભ્રાંતિ અને એનું નિરાકરણ : જૈન ધર્મનો એક ઉપ (તેરાપંથ, સંપ્રદાય પુણ્યના વિષયમાં મોટી વિચિત્ર માન્યતાઓ રાખે છે. એનું મંતવ્ય છે કે - “સ્થાનાંગ સૂત્ર'માં જે નવ પ્રકારનાં પુણ્ય બતાવ્યાં છે, તે માત્ર સાધુને આહાર વગેરે આપવાથી થાય છે, અન્યને આપવાથી નહિ. બીજાને આપવાથી એકાંત પાપ થાય છે, કારણ કે સાધુથી ઈતર બધા કુપાત્ર છે.” આ પંથના આચાર્ય શ્રી જીતમલજીએ સ્વરચિત “ભ્રમ વિધ્વંસન'માં “સ્થાનાંગ સૂત્ર'ના ઉક્ત પાઠની વ્યાખ્યા કરતા લખ્યું છે - સાધુથી અનેરો તે કુપાત્ર છે, અનેરાને દીધા અનેરી પ્રકૃતિનો બંધ કહ્યો, અનેરી પ્રકૃતિ પાપની છે.” - ભ્રમ વિધ્વંસન પૃષ્ઠ-૭૯ ઉક્ત પંથની ઉપર્યુક્ત માન્યતા નિતાંત ભ્રાંતિપૂર્ણ છે. “સ્થાનાંગ સૂત્ર'નો એ પાઠ આ પ્રકાર છે - “વવિદે પUUજે પUUત્તે, તiી-અન્નપુ00, પાઈપુdon, Uપુugો, સયUJJUો, વત્થપુoor, RUITUTો, વરૂપુ00, પુugh, મોwાર પુછો ?” અર્થાત્ “પુણ્ય નવ પ્રકારનાં છે - અનાજનું દાન દેવું, પાણીનું દાન દેવું, ઘર મકાનનું દાન દેવું, ઓઢવા-પાથરવાનું દાન દેવું, વસ્ત્રનું દાન દેવું, ગુણ નિષ્ઠ પુરુષને જોઈને મનમાં ( પુણ્ય તત્ત્વ: એક પરિશીલન DT: 00. 0 T૪૫]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy