SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર બીજે દિવસે ગણધર ભગવંત વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરોહણ કર્યું. સૌધર્મેન્દ્ર ત્યાં આવ્યા. બંને પરસ્પર ભેટ્યા, પછી ઈન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણ વૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઇન્દ્ર હષભદેવ ભગવંતની જે પાદુકા પિતે બનાવી હતી તે બતાવી, એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યો. પછી ઈદ્ર ભરત મહારાજાને કહ્યું કે, આ તીર્થ ઉપર પ્રભુની મૂતિ વિના કેઈ કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે આ ગિરિ સ્વયં તીર્થરૂપ જ છે, તે પણ લકની ભાવનાની વિશેષ પ્રકારે શુદ્ધિને માટે અહીં શ્રીજિનેશ્વરદેવને એક ભવ્ય વિશાળ પ્રાસાદ થ જોઈએ, માટે ચોર્યાસી મંડ૫થી મંડિત એક મહાન જિન પ્રાસાદ કરાવે. ઈની વિનંતીથી ભરત મહારાજાએ દિવ્ય શક્તિવાળા વાર્ધકીરત્ન પાસે રોલેયવિભ્રમ નામને એક ભવ્ય પ્રાસાદ બનાવરાવ્યું. પૂર્વ દિશામાં સિંહનાદ વગેરે એકવીશ મંડપ, દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે એકવીશ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ વગેરે એકવીશ મંડપ. અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ મંડપો બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય માર્ગમાં સેંકડો સૂર્યની પ્રજાની જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રીષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા તથા બને બાજુ શ્રી પુંડરીકસ્વામિની મૂતિ તથા ભગવાનની મૂર્તિની પાસે ખગ ખેંચીને ઉભેલા નમિ-વિનમિની મૂતિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રીનાભિરાજા, શ્રીમરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. ત્યારબાદ બીજા નવીન મંદિરે કરાવીને શ્રી અજિતનાથ ભગવાન આદિ ત્રેવીસ તીર્થ કરેના પિત પિતાના દેહ અને વર્ણ પ્રમાણે શાસનદેવતા સહિત રત્નમય બિઓ પણ પધરાવ્યાં. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું. સર્વ બિઓની પ્રતિષ્ઠાવિધિ-અંજનશલાકા શ્રીનાભગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્રમહારાજાએ હાજર કરી હતી. (પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક સ્થળોએ અંજનશલાકા મહોત્સવમાં આ સઘળી વિધિ કરાવવામાં આવે છે.) ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વરી નામે શાસન દેવી શ્રી શત્રુંજય તીર્થની રક્ષણ કરનારા સ્થાપ્યાં. (૬૧)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy