SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય યશેમતી સાથે પરણાવ્યું. પૂર્વભવના સંસ્કારથી ચંદ્રશેખરને અને ચંદ્રાવતીને પરસ્પર રાગ થયે. હે રાજા ! જ્યારે તું એકલે ગાંગલીઋષિના આશ્રમે ગયે હતું ત્યારે તે તારું રાજ લેવા આવ્યો પણ તેનું ઇચ્છિત ન થઈ શક્યું. ચકાંક તેને યક્ષની આરાધના કરી, અદશ્ય અંજન મેળવ્યું. આથી ચંદ્રશેખર ચંદ્રાવતીના મહેલમાં ગયો. તેની સાથે કામક્રીડા કરી. એનાથી ચંદ્રાવતીને ચન્દ્રાંક નામને પુત્ર થયો. યક્ષના પ્રભાવથી તે વાત કઈને જાણ ન થઈ. તે પુત્ર ચંદ્રશેખર લઈ ગયો, અને પોતાની પત્નીને સેં. તે પિતાના પુત્રની માફક તેનું પાલન કરવા લાગી. યશોમતી કેણુ? યશેમતી સાથે વાતમાં તે પુત્રને માલમ પડ્યું કે તે મૃગધ્વજ રાજાની ચંદ્રાવતીને પુત્ર છે. એ સાંભળીને તે ત્યાંથી નીકળી ગયો. યશેમતી પતિ તથા પુત્રથી ભ્રષ્ટ થયેલી દીક્ષા લેવાના વિચારમાં આવી, પણ સાધ્વી ન મળવાથી તે યોગીની થઈ તે હું યશેમતી. મૃગધ્વજ રાજાની દીક્ષાની ભાવના આ સાંભળીને રાજાને કોઈ આવ્યો. તેને ગીનીએ મધુર વચનથી શાંત કર્યો, મૃગધ્વજ રાજા વૈરાગી થયા. નગરના ઉદ્યાનમાં ગયા અને ચંદ્રાકને મેલીને શુકરાજને અને હંસરાજને લાવ્યા. હું તપશ્ચર્યા કરીશ. ઘેર નહિ આવું. બહુ આગ્રહ કરવાથી રાજા નગરમાં આવ્યા. મૃગધ્વજ રાજાએ શુકરાજને ગાદીએ બેસાડે, પછી કહ્યું કે હું દીક્ષા લઈશ. મૃગજ રાજા કેવલી રાત્રી પડી. મૃગધ્વજ રાજા રાત્રે સંયમની ભાવનામાં એકતાન થતાં, પ્રભાતે ઘાતકર્મને ક્ષય કરીને, કેવલી થયા. દેવતાઓએ સાધુવેષ આપ્યું. આ વાત જાણીને શુકરાજ વગેરે ત્યાં આવ્યા. કેવલી ભગવાને દેશના આપી. ઉપદેશ સાંભળીને હંસરાજા, ચંદ્રક અને કમલમાલા ત્રણેએ દિક્ષા લીધી. શુકરાજ આદિ મનુષ્યએ ગૃહસ્થ ધર્મ આદિ બારવ્રત લીધાં. ચંદ્રશેખર શકરાજ રૂપે ચંદ્રશેખર ચંદ્રાવતી પર સ્નેહ રાખે અને શુકરાજ પર દ્વેષ રાખે. ચંદ્રશેખરે શેત્રદેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ અને વરદાન માગવાનું કહ્યું. તેણે માગ્યું કે શુકરાજનું શ.૪ (૨૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy