SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપત્ય ને કળા ૨ તેની પાછલી બાજુએ એક દેરાસર સાકરસાની ટ્રેકની નજીકમાં છે. તેને માલ્યાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે, તેને ૧૪ મી સદીમાં સ્થાપત્ય જાણકાર લે છે. R નંદીશ્વરની ટુંકની મનહર રચના છે. S મદીની ટૂંક બેઠી બાંધનીની સુંદર છે. તેમાં બે બાજુના દેરાસરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની મનહર પ્રતિમાઓ છે. તેના એક દેરાસરમાં અદ્દભુત કળાને યાદ કરાવનાર સાસુવહુના બે ગેખાલા છે. બે થાંભલા પર દૃષ્ટાંત લેવા જેવી પુતળી બનાવીને એકને વિંછી અને બીજીને સર્પ કરડાવ્યો છે, તે સાસુ વહુના નમુના બતાવ્યો છે. એક પુતળીને વાંદરો વળગાડયો છે. તે બેટી સાક્ષી પુરનાર પડોશણના દષ્ટન્તને બતાવે છે. T અદ્દબદજી-ગિરિરાજના પાષાણમાં તે મૂર્તિ વિશાલકાય કરી છે. અને મને હર બનાવી છે. વર્ષમાં જે. વ. ૧૧ ના દિવસે ત્યાં આંગી પૂજા થાય છે. આ સમાન્યથી ગિરિરાજના શિલ્પ કળાના નમુનાને ઉલ્લેખ કર્યો છે. ઇ તલાટી એ એક ગિરિરાજનું પવિત્ર સ્થાન, તેને જયતલાટી કહે છે. વર્તમાનમાં ત્યાં મનેહરતા બતાવનારી નવી દેરીઓ બાંધી છે. V તલાટી નજીક છે. આ. ક. એ મ્યુઝીયમ બાંધ્યું છે. તેમાં પુરાણું લાકડાનું કામ અક્કલબેર મારે તેવું લાવીને ગોઠવ્યું છે. પુરાણુ પરીકરના નીચલા ભાગો ગોઠવ્યા છે. બે પરીકરે પણ ગોઠવ્યાં છે, ને આદીશ્વર ભગવાનનું નવું ચિતરાવેલું જીવનચરિત્ર ફેટાઓમાં મઢીને ચઢયું છે. wતેના સામે શ્રીવર્ધમાન-જૈન-આગમ-મંદિર આવેલું છે. તેમાં જૈન આગમો શિલામાં કરેલાં છે. તીર્થકરે, સિદ્ધચક્ર ને ગણધરે છે. વળી જુદાં જુદાં દળે પણ છે. X પછી જ્યાં યાત્રિકોને ભાથું અપાય છે, તે ભાથાતિલાટી આવે છે. (૨૨૧)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy