SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ SEEEEEE પ્રકરણ ૯ મું ગિરિરાજની પાયગાઓ પાયગા એટલે પર્વત પર ચડવાના ઊતરવાના રસ્તાઓ. શ્રી આદીશ્વર ભગવાનના સમયમાં આદિત્યપુરથી (આતપુરથી) ઉપર ચડવાની પાયગા હતી. વર્તમાન સમયમાં અહીં ઘેટીની પાયગા છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પૈકી શત્રુંજય નદીથી નાહીને ચડવાની પાયગા, પાદલિપ્તપુર (પાલીતાણા) થી ચડવાની જયતલાટીવાળી પાયગા, રેહશાડાની પાયગા છે. વળી ઘેટીની પાયગા અને રોહીશાડાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની એક પાયગા હતી. એ દિશામાં રહેનારાઓ હજુયે યાત્રાના મુખ્ય દિવસમાં અને ઉપયોગ કરે છે. આ પાયગાનું નામ મને યાદ નથી, પણ મારા પરમ તારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એને વિશે ઉલ્લેખ કરતા હતા. પણ અત્યારે જાણવા મળ્યુ કે તેને ઘનઘળની પાયગા કહે છે ઘેટીની પાયગા આતપુર નજીક છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં યાત્રાળુ ચૈત્યવંદન કરીને ગિરિરાજ પર ચડે છે. ઉપર ચડતી વખતે લગભગ અડધે રસ્તે એક (૧૮૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy