SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. નવટુંક તરફ જતાં નવટુંકની ખારી આવે છે, ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની ખારી. આટલાં કેટમાં પ્રવેશ દ્વાર છે. દરેકે ટુંકમાં રક્ષણ માટે પેરે। ભરનાર પહેરેગીર-ચાકીયાતા છે. ગિરિરાજના વહિવટ શે. આ. ક. ની પેઢી કરે છે. તેમજ કેટલીક ટુંકના વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ આથી ગિરિવરની કીલ્લેખ"ધી સુધીની કહેા કે બધી કહેા તે બધી જવાબદારી પેઢીની છે. તબક્કો બીજો રામપાળ શ્રીશત્રુંજય ગિરિરાજ પર નાનાં મોટાં હજાર એક દેરાસર હશે. એટલે ગિરિરાજ મદિરાના નગર જેવા સુરમ્ય છે. જેમ નગરને કીલ્લા હેાય તેમ આ બધા મંદિરને રક્ષણ માટે કીલ્લો છે. નગરમાં પાળે હાય તેમ અહિં ટુક રૂપી પાળેા છે. નગરને રક્ષણ માટે પહેરેગીર જોઇએ તેમ અહિં પહેરેગીર છે. નગરમાં મનેાહર મહેલે હૈાય તેમ અહિં મદિરા છે. નાનામોટા મહેલા નગરમાં હોય તેમ અહિં નાના મેટાં મંદિર છે. મહેલો પર ધજા ફરકે તે અહિં દેવ મંદિર પર ધજા ફરકે છે. રાજમંદિર માટુ હાય તેમ દાદાનું મંદિર મેહુ ને મનેહર છે. કળશ મહેલ ઉપર જોઇએ તેમ અહિં દાદાના શિખર પર કળશ છે. જો કે બધાજ શિખરે। પર કળશ છે પણ દાદાના શિખર પર સને રસેલા કળશ છે. આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તીમાન કાળમાં મુખ્ય રસ્તા જયતલાટીને છે. જેનુ વર્ણન પૂર્વે કર્યું છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથીયાં છે. આખા રસ્તા રામપાળ સુધીના અઢી માઈલના થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફુટની ઉંચી છે. કલ્પાનામાં પણ ન આવે કે આટલી ઉંચાઇએ અજાયબીવાળાં અનેક પ્રકારના દહેરાં કેવા કેવા ભાગ્યશાળીઓએ બંધાવ્યાં હશે અને કેટલા પરિશ્રમ લીધે। હશે. આરાધ્ય એવા આ ગિરિરાજ હાવાથી સૌને તેના માટે ભાવ ઉત્પન્ન થાય અને ભાવને બતાવવા માટે ગિરિરાજ પર મનહર મદિરા બનાવે અને પ્રતિમાજી મહારાજ પધરાવે. આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટોચે આવીએ એટલે પ્રથમ પ્રવેશ દ્વાર ‘રામપાળ’ આવે. વમાનમાં આ દરવાજો મનેહર સુશેાભિત બનાવ્યેા છે. ત્યાં કાયમ માટે પહેરેગીર રહે છે. વહાણું વાય ત્યારે દરવાજો ખુલે અને સાંજે બંધ થાય. રામપાળ’ એવું નામ કયા કારણે થયું, તે જાણવામાં આવ્યું નથી. રામપાળમાં પેસતાં સન્મુખ પંચશિખરી શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિર શેઠ મેાહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ અંધાવ્યુ છે. તેની ખાજુમાં શેઠ શ. ૧૫ (૧૧૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy