SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કરમાશા પણ કિંમતી ભેટશું લઈ રાજ્યસભામાં આવી પહોંચ્યા. કરમાશાને જોતાં બહાદુરશાહ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, સામે જઈને ભેટી પડયા. પછી પિતાની પાસે કરમાશાને બેસાડ્યા અને સભા સમક્ષ કરમાશાએ નિષ્કારણ કરેલ પરે પકારની ખૂબ પ્રશંસા કરી, અને બેલ્યા કે “આ મારા પરમ મિત્ર છે, જે સમયમાં મારી ખરાબ દશાએ મને ઘણાજ તંગ કર્યો હતો ત્યારે આ દયાળુએ તેનાથી મને મુક્ત કર્યો હતો અને મને બચાવ્યો હતે. બાદશાહના મુખે પિતાની પ્રસંશા સાંભળતા કરમાશાએ બાદશાહના મુખ ઉપર એકદમ પિતાને હાથ દબાવી આગળ બેલતાં રેકીને કહ્યું કે “હે શહેનશાહ! આટલે બધે બજે મારા ઉપર ન નાંખે, હું આ બે ઉપાડી શકું એમ નથી, હું તો માત્ર આપને એક સેવક છું. મેં કઈ એવું કાર્ય કર્યું નથી કે જેથી આપ મારી આટલી બધી પ્રશંસા કરે છે”, આ પ્રમાણે મિત્રતા પૂર્ણ બેલાયા પછી બાદશાહે કરમાશાને પોતાની પાસે રાખ્યા. તેમને રહેવા માટે શાહી મહેલને એક સુંદર ભાગ આપ્યો અને સારસંભાળને સર્વ બંદોબસ્ત કરી દીધું. કરમાશા દેવગુરુના દર્શનાર્થે ઠાઠમાઠથી દહેરાસર અને ઉપાશ્રયમાં ગયા, દર્શન-પૂજન કર્યું. વિવિધ પ્રકારનાં વસ્ત્ર આભૂષણ અને મિષ્ટાન્ન વગેરે યાચકોને આપ્યું. તે વખતે ચાંપાનેરમાં શ્રીસમધીરગણિ નામના વિદ્વાન્ યતિ બિરાજમાન હતા. તેમની પાસે કરમાશા હંમેશાં વ્યાખ્યાન સાંભળતા અને પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓ કરવા માટે જતા. આ પ્રમાણે સતત પૂજા, પ્રભાવના અને સાધર્મિક ભકિત કરતાં બાદશાહની પાસે રહેવા લાગ્યા. કેટલાક દિવસ બાદ શ્રીવિદ્યામંડનસૂરિ અને શ્રીવિનયમંડન પાઠકને કરમાશાએ પિતાનું આગમન અને બાદશાહની મુલાકાત વગેરેને જણાવનારો પત્ર લખ્યા. બાદશાહે ચિતેડમાં કરમાશા પાસેથી જેટલું દ્રવ્ય લીધું હતું તે બધું દ્રવ્ય કરમાશાને પાછું આપ્યું. એક દિવસે બાદશાહે ખુશ થઈને કરમાશાને કહ્યું, કે હે મિત્રવર! હું તમારું શું ઈષ્ટ કરૂં? દિલખુશ કરવા માટે મારા રાજ્યમાંથી તમને જે દેશ વગેરે પસંદ પડે તેને સ્વીકાર કર.” કરમશાએ કહ્યું, કે “આપની કૃપાથી મારી પાસે બધું છે, મારે કઈ વસ્તુ જોઈતી નથી, પરંતુ મારી એક ઈચ્છા છે કે શ્રી શત્રુંજય પર્વત ઉપર મારી કુલદેવને સ્થાપન કરવાને મારે નિયમ છે, તેને માટે મેં આપને ચિત્તોડમાં વિનંતિ કરી હતી. આપે તે વખતે વચન પણ આપ્યું હતું. એ વચન પાલન કરવાને હવે સમય આવી ગયો છે, માટે કરવાની મને આજ્ઞા આપો.” ૯૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy