SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય મહાતીર્થના ઉદ્ધારા આવેલા શ્રાવકોને વસાવ્યા હતા. અનેક શ્રીજિનમદિરા બધાવ્યા હતા. આ રીતે જીવનમાં ઘણા સત્કાર્યાંમાં પેાતાની મળેલ લક્ષ્મીને સદ્વ્યય કર્યાં હતા. અંતે ધર્મનું આરાધન કરતાં તેએ સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગયા. મહાવિસમ કાળમાં પણ તેમણે તીના ઉદ્ધાર કરાવ્યેા. તે તેમનામાં રહેલી શાસન ધગશની ખાસ વિશેષતા તરી આવે છે. (૪) ઉદ્ધાર સાળમા કરમાશાના (સં. ૧૫૮૭) મેવાડ દેશમાં ચિતાડ નગરમાં સંગ્રામસિંહ મહારાણા હતા, તે બળવાન હતા, તેમની પાસે ત્રણ લાખ તે અવા હતા. જેવા બળવાન હતા તેવા ગુણવાન, ધૈર્યવાન, દયાળુ હતા. તેમની વિભૂતિ જોઈને લોકો તેમને ચક્રવર્તી સમાન માનતા હતા. તે નગરીમાં એશવાલ વંશના જૈનધમી આમરાજા થઈ ગયા હતા, તેમના વશમાં રામદેવ પછી તેમના પુત્ર લક્ષ્મીસિંહ, તેમના પુત્ર ભુવનપાલ, તેમના પુત્ર ભેાજરાજ, તેમના પુત્ર નરસિંહ અને તેમના પુત્ર તેાલાશા તે વખતે ચિતાડમાં વસતા હતા. સંગ્રામસિંહ મહારાણાને તેાલાશા ઘણા પ્રિય હતા. તેઓ પેાતાનું પ્રધાનપણું તેાલાશાને આપવા માગતા હતા, પણ તાલાશા પ્રધાનપણું લેવા તૈયાર ન થયા તેથી રાણાએ શ્રેષ્ઠિપદ આપ્યુ. તેાલાશા ન્યાયી, વિનયી, જ્ઞાની, ધનવાન અને સ્વમાની હતા. તેમને લીલુ નામની પત્ની હતી. તેનાથી તેમને પાંચ પુત્ર થયા હતા. રત્નશા, પેામાશા, દશરથ, ભેાજ અને કરમાશા. પાંચે ભાઈએ બળવાન અને પરાક્રમી હતા. તેમાં સૌથી નાના કરમાશા ખધા કરતાં બુદ્ધિ, મળ, સૌંદર્યાં, ગંભીરતા, ઉદારતા, વગેરેમાં વિશેષ ગુણવાળા હતા. તેથી કરમાશાની ખ્યાતિ વિશેષ હતી. એક વખત શ્રીધરત્નસૂરિજી મહારાજની નિશ્રામાં નિકળેલા ધનરાજના સંધ તીર્થાં વગેરેની યાત્રા કરતા ચિતાડ આબ્યા, ત્યારે સંગ્રામસિંહુ રાણા, તાલાશા ોષ્ઠિ વગેરેએ સંઘનુ સુંદર સામૈયું કરી સન્માન કર્યું. પુત્રો વગેરેના પરિવાર સાથે તાલાશા ગુરુ મહારાજની દેશના સાંભળે છે, એ જ વખતે સમય જોઇને તેાલાશાએ આચાર્ય મહારાજને પ્રશ્ન કર્યાં કે મેં જે કાર્ય વિચાયુ છે તે કા સફળ થશે કે નહિ ? *મંત્રી વસ્તુપાલ શ્રીશત્રુંજય તીર્થ ઉપર સંઘ લઇને આવ્યા હતા. મૂળનાયક ભગવતના સ્નાત્ર મહોત્સવ ચાલી રહયા હતા, તે વખતે બીજા અનેક શહેરોના સંધા આવેલા હતા. તેથી માણસાની ભીડ ઘણી હતી. (૮૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy