SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન પરિવાર સહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભુસ્વામિને પ્રાસાદ બનાવ્યા. જે ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. એકવાર ચંદ્રયશા રાજા સગરચક્રવર્તિની જેમ શ્રીસિદ્ધગિરિજીને સંઘ કાઢી તીર્થયાત્રા કરવા આવ્યા. ત્યાં તેમણે જિનપ્રાસાદે જીર્ણ થઈ ગયેલ જોતાં સર્વ પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યો. તથા શ્રી પુંડરિક રૈવતગિરિ આબુ અને બાહુબલિ વગેરે શિખરને પણ ભક્તિથી ઉદ્ધાર કરાવ્યું. છેવટે દીક્ષા ગ્રહણ કરી એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મેક્ષે ગયા. ઉદ્ધાર દશમે ચક્રધર રાજાને શ્રી શાંતિનાથ ભગવાન શ્રીસિદ્ધગિરિરાજ ઉપર ચાતુર્માસ નિર્ગમન કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા, જે ત્રણ ખંડનું આધિપત્ય ભેગવતા હતા, તેમણે ભગવાનને વિનંતિ કરી કે (હે પ્રભુ! મને સંઘપતિની પદવી આપે, આ સાંભળી ભગવાને દેએ લાવેલા અક્ષત યુક્ત વાસક્ષેપ ચકધરના મસ્તક ઉપર નાંખે. ઈન્દ્રમાળા પહેરાવી, ચક્રધર રાજાએ ત્યાં મહોત્સવ કર્યો. સંઘને આમંત્રણ કરી બેલા. ઈન્દ્ર પણ આવેલા. દેવાલય સાથે મંગળ મુહૂર્ત સંઘ નીકળે. ગામેગામ શ્રીજિનપ્રતિમાને અને મુનિઓને નમતે સંઘ સૌરાષ્ટ્ર આવ્યું. ત્યાં ચક્રધર રાજાએ તીર્થ અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રી શત્રુંજય તીર્થમાં આવી તીર્થયાત્રા કરી મેટો ઉત્સવ કર્યો અને તે વખતે ઇન્દ્ર પણ આવીને મહત્સવ કર્યો. ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યું કે “અનંતા વધારનાર તિર્યંચના ભવનું ઉલ્લંઘન કરી જે હું દેવ થયે છું તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ ફળ છે. હે રાજન ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા શ્રી શાંતિનાથ ભગવાનને પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરે.” દેવનું વચન સાંભળી ચક્રધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ઉચિત કાર્ય કર્યું. ત્યારબાદ ઈન્ટે કહ્યું કે, હે રાજન! તમારા પૂર્વજોનું આ તીર્થ કાળગથી જીર્ણ થઈ ગયું છે, તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તે આ તીર્થને ઉદ્ધાર કરે જોઈએ. આ સાંભળી ચકધર રાજાએ જિનપ્રસાદને દઢ કરી સંસારસ્વરૂપ જીણું કર્યું? તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા. એમ કહી ઈન્દ્ર પુષ્પવૃષ્ટિથી હર્ષપૂર્વક વધાવ્યા.
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy