SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પરક પરિ છે.. ઉપસ હાય. વિચારશાસ્ત્રના અથવા અધ્યાત્મ વિદ્યાના આ નિયમને નિર્તર સ્મરણમાં રાખા કે કાઇ પણ વસ્તુને વિચાર કરતાં તેનું સ્વરૂપ તમારા લક્ષમાં ન આવે તોપણ તેને વિચાર કર્યા કરવાથી તે વસ્તુનું સ્વરૂપ યથાથ સમજવાનું મળ હૃદયમાં પ્રકટ થતું જાયછે અને એમને એમ પ્રયત્ન ચાલુ રહેછે તે જે અગમ્ય હોયછે, તે ગમ્ય થાયછે, જે અદશ્ય હેાયછે તે દશ્ય થાયછે અને જે અપ્રકટ હાયછે તે પ્રકટ થાયછે. પરમાત્મા અથવા ચિતિશક્તિનું પણ એમજ છે. અજ્ઞાન સાધકને અથવા ભક્તને તેમનું વાસ્તવ સ્વરૂપ આરંભમાં જરા પણ અંશે સ્પષ્ટ હેતું નથી, પણ જેમ જેમ સાધક ઈષ્ટનું ચિંતન કરત જાયછે, તેમ તેમ તે સ્વરૂપને યથાવત્ અનુભવવાનું મળ હૃદયમાં પ્રકટતું જાયછે અને ક્રમે ક્રમે સ્પષ્ટ સ્વરૂપનું ભાન થાયછે. આથી હૃદયમાં ઉતરતાં ચિતિશક્તિ ન જણાય, અંધારૂંધઞ ભાસે, તેથી પ્રયત્ન નકામા છે, નિષ્ફળ છે, એવી એક ક્ષણવાર પણ શકા કરશેા નહિ; પણ પૂવે કહ્યું તેમ નિત્ય શાંતિથી, સ્વસ્થતાથી, ખીજા વિચારો હૃદયમાં ઉઠે તેને ક્રમે ક્રમે અટકાવતા જ” અંતરમાં ઉંડા ઉતરવાના પ્રયત્ન સેવતા જજો. પ્રયત્ન સફળ થાયજ છે, એમ દૃઢપણે માનજો. નિત્ય થાડા ઘોડા પ્રયત્ન બહુ ફળને આપનારા થાયછે, એ સિદ્ધાંત વિસરી જશે! નહિ. પુનઃ પુન: કહેવાનું કે તત્કાળ ફળનું દર્શન ન થવાથી વ્યાકુળ થઈ પ્રયત તજશે નહિ. તમારા શુદ્ધ વિચારરૂપ ક્રિયાનું ફળ તમે જોતા નથી, પણ તત્ત્વવિદ્ પુરૂષો જુએછે અને તેએ તમને પુન: પુનઃ આશ્વાસન આપેછે કે તમારા ક્ષણ ક્ષણના વિચારનું ફળ જામેજ છે. માટેજ અશ્રદ્ધા ન સેવા. હવે તેના જપવડે ચિતિશક્તિમાં અભિન્નવત્ થઇ, ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં આંદોલને પ્રકટાવી તમારી ઇચ્છાનુકૂળ અર્થાન પ્રાપ્ત કરવા, એ કાર્યં તમારૂં છે. જે પ્રમાણમાં તમે ચિતિશક્તિપ્રતિઅભિમુખ રહી તેના જપ કરશેા, તે પ્રમાણમાં, તમે તેનું માહાત્મ્ય અનુભવશેા. તત્કાળ તમારી અભિમુખતા ન થાય તાપણુ અભિમુખ થવાના તમે પ્રયત્ન માત્ર સેવશે, તેપણુ તમે ક્રમે ક્રમે તેના માહાત્મ્યને અનુભવશેા પણ મુખ આગળ પડેલા ગ્રાસને હાથથી લઇ મુખમાં મૂકવાના પ્રયત્ન પણ જેમને સેવવા ન હોય અને તે ગ્રાસને અમૃતરૂપ સ્વાદ માં ફાડવાને પ્રયત્ન કર્યાવિના જેમને લેવા હાય, તેમનાં મુખ અળવડે ઉઘાડવાનું વેલણ બ્રહ્મા જ્યાંસુધી રચે અને તે વડે તેમનું મુખ ફાડી તેમાં ગ્રાસ મૂકનાર કોઈ કરૂણાળુ પુરૂષને સજાવે ત્યાંસુધી તેમણે ધેય ધરી વાટ જોયા કરવી એજ અધિક યાગ્ય છે. પ્રિય સાધકે ! યત્ને સદા જય થશેજ સમીપ જાજો.” યનવડેજ ફળ સિદ્ધિ સત્વર મળેછે. એ શ્રીઈષ્ટવચનને હૃદયમાં નિરંતર જાગ્રત રાખી શુદ્ધ પ્રયતમાં ચેાજાઓ. ચિતિશક્તિરૂપ પરમાત્મા તમારા હૃદયમાં નિરંતર સમીપ છતાં કાયર ન થાઓ. અર્જુનના રથઉપર શ્રીકૃષ્ણ મહારાજ સારથી છંતાં
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy