SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પશિવ છે ધનમમવમોચન-અધિકાર. ४३५ મોક્ષમાંથી ભ્રષ્ટ થઈ નગદમાં જવાનો સરળ રસ્તે. " परिग्रहं सन्तलुते यथा यथा, तथा तथा मोहभरेण पीड्यते । हा हारयिखा नरजन्म मोहतः, सञ्जायतेऽनादिनिगोदजन्तुषु ॥ ७ ॥ ___ नरवर्मचरित्र. મનુષ્ય જેમ જેમ પરિગ્રડું (ધન પુત્રાદિ) ને વિસ્તારતા જાય છે તેમ તેમ મેહ (અજ્ઞાન-મમત્વ) ના ભારથી પીડાતો જાય છે. હા! ખેદ છે કે અજ્ઞાનથી મનુષ્ય જન્મને હારીને નિગોદ નામના જંતુઓમાં જન્મે છે કે જે જંતુઓ અતીવ સૂક્ષ્મ વનસ્પતિકાયના નામથી ઓળખાય છે. ૭. સાત ક્ષેત્રમાં ધન વાપરવાનો ઉપદેશ. વસન્તુતિ . क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत ___घातासि तत्परभवे किमिदं गृहीखा । तस्यार्जनादिजनिताघचयार्जिताते, भावी कथं नरकदुःखभराञ्च मोक्षः ॥ ८ ॥ अध्यात्मकल्पद्रुम. તારી પાસે દ્રવ્ય છે છતાં પણ તે (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનો છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી થનાર નારકીનાં દુઃખોથી તાર મોક્ષ (છૂટકારો) કેમ થશે? વિવેચન–પ્રાપ્ત કરેલા પૈસા પરભવમાં સાથે આવતા નથી; વળી તેને પેદા કરવામાં, જાળવવામાં અને વ્યય કરતાં અથવા નાશ થતાં અનેક દુખપરંપરા થાય છે અને પર ભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એજ છે કે પ્રાપ્ત થયેલ પૈસાને શુભ રસ્તે વ્યય કરે. દ્રવ્ય વાપરવાના અને નેક રસ્તા છે. જિનબિંબસ્થાપન, જિનદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તકે લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તક ભંડાર કરવા, લાઈબ્રેરી કરવી તથા કેળવણીને પ્રસારક , સાધુ-સાવીએ, સ્વામી ભાઈઓ અને બહેનને ઉત્કર્ષ કર, અનાથનું પ્રતિપાલન કરવું અને રાસનની શોભા વધારવી. આવાં આવાં અનેક ઉપયોગી સ્થાને છે, તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કરે સમાજને ડહાપણ ભારે લાગતું
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy