SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૦ કસ્તુરચંદ કશળચંદ. ૧૦૦૦ સ્વર્ગસ્થ ઘેલાભાઈ કશળચંદ હા. તેના વિધવા બેન ડા, ૨૩૦૦ ૧૯૬૧ માં જામનગરથી ગિરનારજી તથા સિદ્ધક્ષેત્રની યાત્રા માટે સંઘ કાઢવાથી સદરહુ શેઠજી તથા ગલાલચંદ ખીમજી બેઉ મિત્રએ ચાર ચાર હજાર રૂપીઆ શેઠ પ્રેમચંદ કેશવજીને ઉધડ આપ્યા અને આ સંઘમાં કુલ માણસે ૧૫૦૦ થયાં હુતાં તેમાં સદરહુ શેઠજીનાં સગાંવહાલાં ખર્ચ શેઠજી ઉપર હતું એટલે તેમાં બે હજાર રૂપીઆ ખર્ચા તેમજ ગલાલચંદ ખીમજીભાઈએ પોતાના સગાંનું ખર્ચ પતાઉપર રાખ્યું હતું. આ સંઘમાં મુનિશ્રી કેશરવિજયજી તથા મતવિજયજી તથા જામનગરવાળા મુનિશ્રી વિનયવિજયજી વિગેરે તેમજ સાધવીઓ મળી ૩૦ ઠાણાં સંઘમાં શેલારૂપે હતાં. આવા પૂજનીય મુનિશ્રીઓના પ્રતાપથી વિરપુરના રાજા તથા ગંડલના રાજા સાહેબ રાણુ સાથે દર્શનનો લાભ લેવા પધાર્યા હતા તેમજ આ સંઘ એટલે બધે પૂજનીય થઈ પડયે કે જુનાગઢ સ્ટેટના નવાબ સાહેબતરફથી પણ સંઘને જમાડવામાં આવ્યું હતું. આ સંઘનિમિત્તે કુલ ખર્ચ (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે થયો હતો. આવા શુભ પ્રસંગે પંન્યાસજી કેશરવિજ્યજીના ઉપદેશથી સદરહુ શેઠ કસ્તુરભાઈએ વડાળના ઉપાશ્રયમાટે રૂા. ૨૦૦ બસે આપી પિતાની ધર્મકાર્યની ફરજ અદા કરી. ૧૯૬૨ માં શેઠજી ભાવનગરની જૈનધર્મપ્રસારકસભાના લાઈફ મેંબર રૂા. ૫૧ આપીને થયા. ૧૯૬૪ માં શા. કસ્તુરભાઈનાં માતુશ્રીએ શ્રીસિદ્ધગિરિમાં ચોમાસું રંભા બેનની સાથે કર્યું અને તે પ્રસંગે શેઠજી પાલીતાણે ગયા ત્યાં મુનિશ્રી હંસવિજયજીના શિષ્ય પંન્યાસજી સંપતવિજયજી તથા મુનિ મેહન લાલજીના શિષ્ય હરખ મુનિ પંન્યાસજી પાસે જે શ્રાવક તથા શ્રાવિકાન વર્ગ ઉપધાન કરતે હતા તે વર્ગને મુનિશ્રીના ઉપદેશથી શેઠજીએ સ્વામીવત્સલ કર્યું. તેમાં રૂા. ૭૦૦ ખર્ચા અને વાગડમાં ચિંતામણિ પાર્શ્વનાથના જીર્ણોદ્ધારની મદદમાં રૂા. ૧૦૦ આપ્યા અને સિદ્ધ ગિરિમાં દાદાને ફુલ તથા ધૂપસંબંધી રૂ. ૧૨૫ આખ્યા,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy