SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી પૂજય તપસ્વીજી અમૃતવિજયજી મહારાજનું ટુંક સારરૂપ જન્મ ચરિત્ર. नरखं दुर्लभं लोके, विद्या तत्र सुदुर्लभा । कवित्त्वं दुर्लभं तत्र, तपस्तत्र सुदुर्लभम् ॥ . માણાનાર. જગમાં મનુષ્યજન્મ મેળવે એ દુર્લભ છે, મનુષ્યજન્મમાં સદ્વિઘાની પ્રાપ્તિ દુર્લભ છે. વિદ્યા મેળવ્યા પછી કવિત્વશક્તિ મેળવવી એ પણ કઠિન છે અને કદાચ એ ત્રણેની પ્રાપ્તિ થઈ તે પણ તપશ્ચર્યા કરવી એ કઠિનમાં કઠિન કામ છે. - જ્યારે આપણે ઉત્તમ પ્રકારના મનુષ્યના ગુણાનુવાદથી આનંદ મેળવી આગળ વધીએ છીએ, ત્યારે સંસારનો ત્યાગ કરનાર ઉત્તમ પ્રકારના કોઈ કંચન કામિનીના ત્યાગી તપસ્વીના યશગાનનું શ્રવણ કરી અતિ સંતેષ મેળવીએ એ અતિશક્તિ નથી. તેથી કષાયમુક્ત અને ભવભયથી દૂર રહે નાર એવા પૂજ્ય મહાત્મા તપસ્વીજી અમૃતવિજયજી મહારાજજી કે જે પૂર્વાશ્રમવિષે કાઠીઆવાડમાં બગસરાના રહીશ પ્રેમચંદભાઈના ચિરંજીવી અમૃતલાલતરીકે પ્રસિદ્ધ હતા, તેઓ દશાશ્રીમાળી વાણીઆ હતા અને દેશી કુટુંબમાં તેમની સુપ્રસિદ્ધ ગણના હતી. આ કુટુંબમાં સ્વધર્મનિષ્ઠ મહાસુશીલ પવિત્ર બેન ઝવેર બેન કે જે એમનાં માતા તરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે પોતાની કુક્ષિમાંથી અમૃતલાલ (એટલે કેવળ અમૃત) ને ઉત્પન્ન કરી આ ભૂમિઉપર
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy