SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ ૧૩૦. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ગૃહસ્થ અને યોગી માટે ઉચિત યજ્ઞ. ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥ ४ ॥ શબ્દાર્થ–વીતરાગની પૂજાદરૂપ ગૃહસ્થ અધિકારીનું ઉત્કૃષ્ટકર્મ બ્રહ્મ યજ્ઞરૂપ છે અને યોગીઓને જ્ઞાન એજ ઉચિતકર્મ છે. વિવેચન–હમેશાં કુટુંબપાલનાદિએ કરીને ગૃહારંભમાં પ્રવર્તન કરનાર ન્યાયપાત્ત દ્રવ્યાદિપણાએ કરીને કર્મયજ્ઞ વિધિને વિષે ગ્ય, એવાની સાવધ પ્રવૃત્તિ છે, તેથી વીતરાગ એટલે સકલકર્મના જવાથી જે નિરંજન છે એવા પરમેશ્વરની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અલંકાએ કરીને પૂજા કરવી, જિનબિંબથી પ્રતિષ્ઠા કરવી, મુનિને દાન આપવું વિગેરે તદ્દરૂપ ઉત્કૃષ્ટકર્મ–પૂર્વોક્ત પૂજારૂપ કર્મયજ્ઞ-પૂર્વોક્ત જ્ઞાન યજ્ઞનો હેતુ છે, માટે જ્ઞાનયજ્ઞ છે, એમ જાણવું. સર્વ આરંભરહિત મુનિને તે સ્તુતિ, તેત્રાદિએ કરીને જ્ઞાનયજ્ઞજ ઉચિત છે. ૪. અધિકારને અનુસરીને વર્તવાની ભલામણ . भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् । क्लूप्तिभिन्नाधिकारं च, पुढेष्टयादिवादिष्यताम् ॥ ५ ॥ શબ્દાર્થ-ભિન્ન ઉદેશથી કરેલી ક્રિયા કર્મક્ષય કરવાને અશક્ત છે. રચનાએ કરીને જેનો અધિકાર ભિન્ન છે તે પણ પુછયાદિવત્ અનર્થકારી છે એમ સમજવું. - વિવેચન-આત્માની એક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ઉદ્દેશથી કરેલું પૂજાદિકર્મ અને ભેગપ્રાપ્તિ આદિરૂપ પ્રવૃત્તિના પ્રજને કરેલું કર્મ જ્ઞાનાવરણાદિ કિલષ્ટકર્મને વિનાશ કરવાને સમર્થ નથી. રચનાએ કરીને ગ્યતા જ્યાં ભિન્ન છે તે પણ પુછયાદિવત્ અનર્થકારી છે. જેમકે ગૃહસ્થને ઉચિતકર્મ સાધુ કરે તે તે સાધુને અનર્થકારી છે. પુત્રને માટે યજ્ઞ કરે તે પુત્રેષ્ટિ કહેવાય છે કે– ગુરીવા પઢવયં પુરોહૈિં પ્રથમ રેત !” તેની જેમ આ પણ અનર્થકારી છે એમ સમજવું. ભાવાર્થ એ છે કે, જમદગ્નિએ રેણુકાની પ્રાર્થનાથી પુત્રેષ્ટિએ કરીને વિપ્રપુત્રત્વ અને ક્ષત્રિયપુત્રત્વ નિમિત્તે વિચરૂ અને ક્ષત્રિયચરૂ સાધ્યા. લેભને વશ થઈ રેણુકાએ ક્ષત્રિય
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy