SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ત્યાં ભગવાનને વિચાર થયે કે મને ભિક્ષા આપવાનાં અભિગ્રહમાં એક રૂદનની ખામી છે તેથી ભિક્ષા લીધા સિવાય ચાલી નીકળ્યા, ત્યારે તે કરી રૂદન કરવા લાગી કે હા મને ધિક્કાર છે! કે આવા અતિથિ મારા હાથની ભિક્ષા લીધા સિવાય ચાલ્યા જાયે છે, તે શ્રીભગવાનના જોવામાં આવ્યું તેથી પાછા ફરી તેની ભિક્ષાનો સ્વીકાર કર્યો. તે વખતે તેની બેડીયે જાજર રૂપે શાસન દેવે કરી વિગેરે પંચદિવ્ય પ્રકટ થયાં. તે કન્યાએ પારણામાટે આપેલ બકુલાને સ્વીકાર કરી તેનું ભજન કરી છ માસ સુધી સૂજતો આહાર ન મળવાથી જે વ્રત ચાલુ હતું તે પૂર્ણ કર્યું. તે આ શ્રીભગવાનને મહાભિગ્રહ” નામના વ્રતને વેગ જાણ. લેકિન શબ્દાર્થ. સજાની પુત્રી દાસીના કાર્યને કરવાવાળી, બે પગમાં બેડીવાળી, મસ્તકમાં જેનું મુંડન થયું છે એવી, ભૂખથી દુર્બળ થયેલી અને બે પગ વચ્ચે ઉંબર રાખીને ઉભેલી, અને હાથમાં પાત્ર રાખી તેમાં રહેલ અડદના બકુલાવાળી, રૂદન કરતી બપોરને વખતે સુપડાના ખૂણામાં રહેલ તે અડદના બકુલારૂપી પારણું આપે તે આ શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મહાભિ નામનું મહા કઠિન વ્રત છે. ૭. પ્રતિક્રમણનિયમપાલનનું ફળ. सावयं दलयत्यलं प्रथयते सम्यक्त्वशुद्धिं परां, नीचैर्गोत्रमधस्करोति कुयशश्छिद्रं पिधत्ते क्षणात् । सध्यानं धिनुते निकृन्तति ततं तृष्णालतामण्डपं, वश्यं सिद्धिसुखं करोति भविनामावश्यकं नितम् ॥ ८॥ सूक्तिमुक्तावली. જે સંસારી મનુષ્યએ આ આવશ્યક (પ્રતિક્રમણના નિયમો નું પરિપાલન જરૂર કર્યું હોય તે તે જીના પૂર્ણ રીતે પાપકર્મોને દળી નાખે છે, સમ્યકત્વ દર્શનની ઉત્તમ શુદ્ધિને પ્રકટ કરે છે, નીચ ગોત્ર નામના કર્મને નાશ કરે છે, ક્ષણમાત્રમાં કુકીર્તાિના છિદ્રને બંધ કરી આપે છે અને સુન્દર ઈષ્ટ. દેવના યાનને સિદ્ધ કરી આપે છે, વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતાના મંડપને કાપી નાંખે છે અને સિદ્ધિઓ તથા સુખને આધીન કરી આપે છે. અર્થાત ઉપર્યુક્ત તમામ ફળ નિયમોના પાલનમાં સમાયેલાં છે-એ ભાવ છે. ૮.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy