SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ચડી છે. સ્મશાન જવાની તૈયારી થઈ રહી છે. છેલ્લામાં છેલ્લા સ્ટેશને જઈ પહોંચે છે અને આખરે અત્યેષ્ટિ કિયા કરવામાં આવે છે. ત્રીજા દિવસે તેજ મહાત્મા આ બ્રાહ્મણભાઈના ગૃહાંગણે આવી ચડે છે. ઘરના લોકોને ભારેભાર હર્ષોલ્લાસ થાય છે. મહાત્મા જમવાની તૈયારી કરે છે મહાત્માને જમવા માટે બેસાડે છે થાળમાં ચગ્ય રસવતી પીરસાઈ જાય છે ત્યાં એકાએક એલી ઉઠે છે કે અરે હું એકલો જમી શકું? મારી સાથે જમનાર પેલે છોકરો જોઈએ. મહાત્માબૂમ પાડે છે. અરે શંકર ચાલ જમવા માટે, આ બુમ સાંભળીને તુરતજ બહારથી શંકર આવી ચડે છે અને જમવામાટે સાથે બેસી જાય છે. આ છે મહાત્મા પુરૂષની અગમ્ય લીલા. આ બ્રાહ્મણભાઈને અતૂટ અને અકાટય શ્રદ્ધા હતી તેનું જ આ પરિણામ કેમકે “ શ્રદ્ધાવાન મારે મ” આ સનાતન સિદ્ધાન્ત નિતાન્ત યથાર્થ જ છે. હમેંશાં ખાનદાન કે કુલીન પુત્ર પિતાની જનેતાને આજીવન સેવા આપી રહેલા હોય છે. જ્યારે ઘણા એવા કુલાંગાર પણ હોય છે. લાડી આવ્યા પછીથી માડીની માયાને ભાગ્યેજ યાદ કરતા રહે. મા મેરી કે તેરી, એક નવ જવાન પુત્ર પિતાની માને લાડકવા અને એક્લવાયે માતાનું ખૂબજ વાત્સલ્ય મેળવી ચૂક્યું હતું. સાથેસાથે તેટલેજ આજ્ઞાંકિત હતું. જ્યારે તેને લગ્ન સમય પરિપકવ થયે ત્યારે દુર્ભાગ્યવશાત કઈ એક અવચંડી અબલા સાથે
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy