SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ માનવતા તરીકેનો પાઠ કરતો જ રહ્યો. માનવ જન્મને સફલ બનાવનારી સાધક ક્રિયાઓમાંજ સાવધાન રહ્યો કિન્તુ બરબાદ કરનારી બાધક પ્રવૃત્તિઓની સામે પીછેહઠ કરી માનવતાને ઉજવલ બનાવી જનતાને માટે આશીર્વાદરૂપ નીવડયે. વીશ વર્ષો પછી પરણીને ગૃહસ સારનું સંચાલન શરૂ કર્યું. ત્યારે દ્ધિપાદમાંથી ચતુષ્પાદ બને. એટલે કે બીજા વીશ વર્ષો સુધી બળદની માફક રાતદિવસ કાળી અને કડક મજૂરી કરીને બળદને પાઠ કરતે રહ્યો. તત્પશ્ચાત્ ચાલીશ વર્ષો પછીથી બાલ બચ્ચાઓ અને સગા સ્નેહીઓની વણઝાર વધતી ચાલી એટલે માનવ હવે પછીથી કુતરા તરીકેનું જીવન વીતાવવા લાગ્યો. કયારેક પિતાની પત્ની ઉપર ગુસ્સે ઉતારે. કયારેક પુત્ર ઉપર, કયારેક આડોશી–પાડોશી સાથે ભસવા માંડે. અરે માનવ તું ભસવાનું છોડી દે અગર કરવું જ છે. તે ભાષણ કર અને તે પણ જોઈતું જ કિન્તુ આજના કેટલાક માનીએ વધુ પડતું બોલવામાં જ હોંશિયારી સમજતા હોય છે. બીનજરૂરી વધુ પડતું બેલિવું તેજ ભસવું કહેવાય છે. મૌન જેવું મૌલિક તત્વ કેવલ માનવને માટે જ છે. સમજી શેચીને મૌન તત્વનું આસેવન કરવું. એકાન્ત હિતાવહ છે. શ્વાન તરફથી મળેલી અનુપમ ભેટને ભેગવવાનાં વર્ષો વીતી રહ્યા છે. ત્યારે મનુષ્ય પ્રાણી પિતાના પરિવારને કરડવા દોડતા હોય છે. સાઠ વર્ષ પછી મનુષ્ય પ્રાણ બગલાના પાઠની પારાયણ શરૂ કરતા હોય છે. તે
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy