SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નામાંક્તિ નાગરિક અને પ્રમાણિક મહેનત કરી પરસેવાના પૈસા એકઠા કરવાની વૃત્તિ રાખે તેા થાડા વખતમાં માણસ પેાતાનું ગાડું તે ખરાખર ગબડાવી શકે છે. · વાડ વગર વેલા ચઢતા નથી’ એ સાચી વાત છે. નેમચંદ શેઠને વાડીઆ કુટુંબને ટેકો મળ્યા. એને માતાની નેક સલાહ હતી, પેાતાની વૃત્તિ પિતાને ઋણમુક્ત કરવાની હતી અને એ પેાતાની જાતના વિચાર ન કરતાં કે પોતાના સુખ-સગવડના ખ્યાલ ન કરતાં રાતદિવસ મહેનત કરવાના નિ ય પર આવી ગયેલા હતા, જેને પરિણામે તેઓએ થાડા પૈસા પણ એકઠા કર્યા અને નાતજાતમાં શેઠ તરીકે તેમની ગણના થવા લાગી. સાર્દું જીવન, પ્રમાણિક વ્યવસાય અને નેક દાનતને પરિણામે શેઠ નેમચંદભાઇએ આ રીતે કામ આગળ ચલાવ્યું અને પોતાના પિતાનું ઋણ પણ થાડુ' ઘણુ' દેવા ઉપરાંત પોતે આબરૂથી રહેવા લાગ્યા. દરમ્યાન એમને બે દિકરા થયાઃ માટાનુ નામ ગુલાબચંદ, નાના પુત્રના નામના પત્તો લાગતા નથી. આવા શેઠે નેમચંદ કુટુંખનું પાલન માતા રૂપામાઈના આશીર્વાદથી ચલાવતા હતા, તેવામાં સંવત ૧૮૬૯માં એકત્રીશ વની ભરજુવાન વયે તેમનુ અવસાન થયું'. મહામુસીખતે ઠેકાણે આવતી માજી પાછી ચુથાઈ ગઇ અને કુટુ અને ઊંચે આવવાના રસ્તા તૈયાર થતા દેખાતા હતા તેમાં એકાએક ધડાકા થયા. જીવનમાં જ્યારે આપત્તિ આવે છે ત્યારે એકલી-અટુલી નથી આવતી, ઘા ઉપર ઘા પડે છે અને માણસનું હૃદય ભાંગી જાય એવા એક પછી એક બનાવા ઉત્તરાત્તર બને છે. જાણે દૈવના કાપ ઉતરી આવ્યા હોય તેમ આખું કુટુંબ ખળભળી
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy