SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ૨૮૫ પ્રભુની માતા પતિ પાસે આવી સ્વપ્નની વાત કરે છે, રાજાને હર્ષ થાય છે અને વિદ્વાન માણસને બોલાવી તેને આ સ્વપ્નનાં અર્થ–ફળ પૂછવામાં આવે છે. સ્વમ ઉતારવાને વિધિ છઠું દિવસે રાત્રે થાય છે અને સ્વપ્ન પાઠકની આખી હકીકત સાતમે દિવસે પ્રભાતમાં કરવામાં આવી હોય એમ જણાય છે. એ પ્રસંગે ઇંદ્રનું આસન ચલિત થાય છે, એ જ્ઞાનપગ મૂકી તીર્થકરનું સ્વપ્ન જાણે છે અને તે જ વખતે શકસ્તવથી પ્રભુની સ્તુતિ કરે છે. આ વિધિ છઠ્ઠા દિવસની રાત્રે અને સાતમા દિવસની પ્રભાતે થાય છે અને તેમાં સ્વપ્નદર્શન અને સુપન પાઠકના પ્રસંગેએ લેકેને ખૂબ રસ પડે છે. એમાં જેવા જાણવા જેવું ઘણું હોય છે. સાતમે દિવસ–પ્રભુ જન્મમહોત્સવ માટે જાય હતે. આ અત્યંત આકર્ષક પ્રસંગને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું એમ જણાય છે. આ આ ઉત્સવ સાતમા દિવસની રાત્રે અને આઠમાની સવારે થયે હતે. આખી રાત લાખ માણસ આનંદ-મંગળમાં વર્તી રહ્યા હતા અને ભવ્યતામાં વધારો કરી રહ્યા હતા. શરૂઆત છપ્પન દિકુમારીના મહોત્સવથી થઈ. અતિ સુંદર વમાં સજજ થયેલી અલકની રહેનારી આઠ દિકકુમારી ઈશાન દિશામાં સૂતિઘર બનાવે અને ચારે તરફ એક જનમાંથી અશુચિ દૂર કરે તેને અંગે સુવઅસજિજત આઠ બહેનો મંડપની આસપાસ પવિત્રતા કરે, ઝાડુથી સફાઈ કરે અને ચારે તરફ કાંઈ ગંદકી રહી નથી તેનું નિરીક્ષણ કરે.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy