SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર હે વગાડતાં જ્યાં મલ્લી અરિહંત ભગવાન બિરાજમાન હતાં ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ભગવાનને વંદન નમસ્કાર કર્યાં. અને તેમની સારી પેઠે ઉપાસના કરી. મલ્લીનાથ પ્રભુએ વિશાળ જન સમુદાય, કુંભક રાજા તેમજ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓની સામે શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ આપ્યા. તીથ કર પ્રભુની વાણી પથ્થર જેવા કઠોર દિલના માનવીને પણ પીગળાવી નાંખે છે માહ ભરેલાં માનવીનાં મેાહ ઉતારી નાંખે છે, ને ગબ્દોના ગવ પણ ગાળી નાંખે છે. એવી પ્રભુની વાણીમાં તાકાત છે, કંઈક જીવાને ભગવાનની વાણી સાંભળીને સસાર ડાંગરના ફોતરા જેવા તુચ્છ લાગ્યા, ને સ’સાર ત્યાગી સયમી બનવા તત્પર અન્યા. જે સંયમ લેવા શક્તિમાન ન હતાં તેમણે ખાર વ્રત અંગીકાર કર્યાં અને જન સમુદાય જે દિશા તરફથી આવ્યેા હતેા તે દિશા તરફ પાછા ચાલ્યેા ગયા. કુંભક રાજા શ્રમણાપાસક બન્યા અને પ્રભાવતી દેવી પણ શ્રમણાપાસિકા બન્યા. ત્યાર પછી જિતશત્રુ પ્રમુખ છ રાજાએ મલ્લીનાથ પ્રભુના ઉપદેશથી પ્રતિમાધ પામીને આ પ્રમાણે કહ્યું “ અહિન્નુાં મતે હોવ! હિરોળ મતે હોપ ।'' હે ભગવંત ! આ ચતુતિ રૂપ સંસાર ચારે તરફથી સળગી રહ્યો છે. આ લેાક અત્યંત પ્રજવલિત થઈ રહ્યો છે. અગ્નિની તીવ્ર જવાળાઓની જેમ હમેંશા જ—જરા અને મરણુ રૂપી દુઃખા આ લાકને સળગાવતા રહે છે. હે ભગવંત! જેમ કેાઈ માણસના ઘરમાં આગ લાગે ત્યારે સૂતેલાને જગાડે છે ને કહે છે કે આગ લાગી છે. ખહાર નીકળેા. તેમ પ્રજવલિત એવા સ`સારમાં માઠુ નિદ્રા વશ થએલાં અમારા જેવાને આપે આધ પમાડીને કલ્યાણકારી માગ ખતાન્યેા છે તે હવે અમારા આપની પાસે દીક્ષા લેવાના ભાવ છે. આપ અમને દીક્ષા આપે. અમારે સ્વીકાર કરે. મેાક્ષગામી વિનયવંત શિષ્યાને ગુરૂ દીક્ષા આપવાની સંમતિ આપે, એને દીક્ષા આપે ત્યારે તે ગુરૂના મહાન ઉપકાર માને અને ગુરૂના ચરણમાં પડીને કહે હું ગુરૂદેવ ! આપે મારે। સ્વીકાર કરી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે મારા હાથ ઝાલ્યા તે મારુ મહાન ભાગ્ય છે, આપે મારા હાથ ન પકડયા હોત ને મને ચારિત્ર રત્ન ન આપ્યું હોત તે મારું શું થાત? સુપાત્ર શિષ્ય આ રીતે ગુરૂના ઉપકાર માને અને કુપાત્ર શિષ્ય આથી જુદુ' વતન કરે છે. અહી જિતશત્રુ પ્રમુખ છ રાજાએ મલ્લીનાથ ભગવાનને વિનંતી કરે છે કે હું અમારા નાથ ! અમારા પરમતારક ! જીવન આધાર ! આપ અમારા આધાર છે. અમારા શરણરૂપ છો. માટે અમને દીક્ષાની ભિક્ષા આપો. હવે મલ્લીનાથ ભગવાન જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને દીક્ષા આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy