SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. શારદા શિખર ચિંતન કરે, તપ જપ કરે પણ તેનુ લક્ષ્યબિંદુ કંચન અને કામિનીને મેળવવા માટે હોય તે આત્મિક જ્ઞાન ક્યાંથી મળે ? અજ્ઞાનનાં તિમિર ટળે તેા આત્મિક પ્રકાશ મળે. અજ્ઞાનના અંધકારમાં આત્મિક જ્ઞાનના પ્રકાશ ઢંકાઈ ગયા છે, વિવેક વિસરાઈ ગા છે તેના કારણે જીવ જેમાં સુખ નથી તેમાં સુખ માનીને તેને સાચવવામાં પડી ગયા છે. જે વસ્તુ સાથે નથી આવવાની તેને મેળવવાં માટે કેટલાં કર્મો કરે છે! પણ ખખર નથી કે સાચું સુખ ત્યાગમાં છે. સંસાર સુખને સ્વાદ છૂટે તે ત્યાગના સુખનેા સ્વાદ માણી શકાય ને ? કીડી તેના માઢામાંથી મીઠાની કણી કાઢે નહિ તે સાકરના ડુંગરા ઉપર રહેવા છતાં સાકરનેા સ્વાદ કયાંથી માણી શકે ? તેમ જે જીવાએ સ'સારના સુખને સાચું સુખ માની લીધુ હોય ને તેમાં રચ્યાપચ્યા રહેતા હોય ત પછી તેને આત્મિક સુખની અનુભૂતિ ક્યાંથી થાય ? માટે મારી તે તમને ભલામણુ છે કે તમે જે સાધના કરેા તે આત્માના લક્ષે કરે. તમે તમારા ઘરનુ જેટલુ ધ્યાન રાખા છે તેથી અધિક આત્માનું લક્ષ રાખા. જેમ માતા ઘરનું કામ કરતાં પેાતાના વહાલસેાયા પુત્રનું ધ્યાન રાખે છે તેમ તમે સંસારની પ્રવૃત્તિ કરતાં હૈ। છતાં આત્માનુ ધ્યાન રાખેા કે મારે। આત્મા વિષય કષાયમાં જોડાઈ ને કમ ખંધન નથી કરતા ને ? હું' જે કાંઈ પ્રવૃત્તિ કરુ' છું' તે મારા આત્માના હિત માટે કરું છું કે અહિત માટે ? અગર તેા હું જે પાપમય પ્રવૃત્તિ કરી રહ્યો છું તે પાપ કાના માટે કરુ છું ? પાપ કરીને હું ક્યાં જઈશ ? આવા જો વિચાર આવતા હાય તા કાઈક દિવસ પણ આત્મા પાપ કરતાં પાછા ફરશે. અને આવે! વિચાર ન આવતા હોય તે સમજી લેજો કે ચતુતિ સંસારમાં ભમવાનું છે. ખંધુએ ! મનને શાંત કરી એકાગ્ર ચિત્તે ઉપરાક્ત વિચાર કરવામાં આવશે તા જરૂર અંતરમાં પ્રકાશનુ તેજકિરણ ઝળહળી ઉઠશે. આત્મરૂચી જાગતાં પરમ સુખની ઝંખના થશે. મારુ' પરમ સુખ કયાં છે ને હું કયાં શેાધી રહ્યો છુ ં તેનું ભાન થશે. સુખ ભયુ" છે મારા અંતરમાં ને શેાધી રહ્યો છું ખહાર તેા કયાંથી મળે ? સમજે. બહારના સ'સાર મનમાં અપર’પાર ભરેલા છે એટલે તે ઉભરાયા કરે છે. તેને રાકયા સિવાય ચિત્તમાં એકાગ્રતા આવવી મુશ્કેલ છે. આત્માની અનંત શક્તિ નજીવા સંસારના સુખામાં વેડફી નાંખવી તે મૂર્ખાઈનું કામ છે. આજના માનવી પોતાની અનંતશક્તિને માટે ભાગે ઇન્દ્રિઓના વિષયાનુ પોષણ કરવામાં ખચી રહ્યો છે. આત્મસાધના કરવામાં એનું ચિત્ત લાગતું નથી. ખિચારે ફ્રાઈક દિવસ વ્યાખ્યાનમાં આવીને બેસે તા ઝેકા આવવા માંડે છે. અને ઘેર જઈ ઉંઘવા પ્રયત્ન કરે છે ત્યારે તેનુ મન ચિંતાના ચકડાળે ચઢી જાય છે. કર્મોની ગતિ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy