SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપબિર અને પાંચ અનુત્તર વિમાનના દેવેને વિષયનો તે વિશેષે કરીને અભાવ હોય છે. અરે, વધુ તે શું કહું ? સર્વાર્થસિધ્ધ વિમાનના દેવને તત્ત્વનું ચિંતન કરતાં કંઈ સંસ્કા પડે તે મનમાં વિક૯પ કરે ને મનથી સર્વજ્ઞ ભગવંતને પ્રશ્ન પૂછે ને મનથી લિનું સમાધાન થઈ જાય. - દેવાનુપ્રિયે ! દેવોને આવું સુખ અને તે પણ કેટલા લાંબાકાળનું. અનુત્તર વિમાનના દેવોનો સુખનો કાળ કેટલે તે તમે જાણે છે? પાંચ અનુત્તર વિમાનમાં "ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તેત્રીસ સાગરોપમ વર્ષ એટલે શું? ૩૩૦ ક્રોડાકોડી પલ્યોપમ વર્ષ તે ૩૩ સાગરોપમ વર્ષનું માપ છે. આવા લાંબા કાળના અનુત્તર વિમાનના દિવ્ય સુખ આગળ માનવીના બિન્દુ જેટલા અને અલ્પકાળ ટકવાવાળા સુખ શું વિસાતમાં? તે સુખ પણ અનિત્ય છે. શું એના ઉપર વિશ્વાસ કરીને બેસી શકાય ? એ સુખને કાયમી માનીને અભિમાનમાં ફુલાયા કરવાનું છે અને અનુત્તર વિમાનના દેવોને પણ દુર્લભ એવી મેંઘેરી માનવ જિંદગીની આત્મ સાધનાની અમૂલ્ય તક ચૂકી જવાની ? આ તક ચૂકી જશે તે ફરી ફરીને નહિ મળે. - બંધુઓ ! આ સંસારનામાની અનિત્યતાનો તે વિચાર કરો. જ્ઞાની કહે છે કેકૌઃ મું નીતિ છે રામપિતા જીવ કર્માનુસાર જે જે ગતિમાં ગયો, જેની જેની સાથે બાળ રમત રમ્ય, કામ ક્રીડાઓ કરી, તથા વહેપારમાં જેમણે સાથ આપીને લાખનો નફો કરાવ્ય, તેવા શેઠ-શાહુકારને ઘણું ઘણીવાર ગુણ ગાયા તથા જેમને પિતાના સ્વજન, નેહી અને સબંધી માનીને નેહની વાત કરી તે : ધા પણ એક દિવસ છોડીને ચાલતાં થઈ જાય છે. પિતાની સગી આંખે એમની - કાયા બળીને ભસ્મ થતી જોવા છતાં પણ જીવને પિતાની જાતનો ખ્યાલ આવે છે કે હે પણ એક દિવસ આ બધાની જેમ બધું છોડીને ચાલતા થઈ જચ્છશિ. મારી કાયાની પણ એક દિવસ રાખ થઈ જશે! જ્યારે ત્યારે એક દિવસ અધું એડીને જવાનું છે એ જાણવા છતાં અને જે ગયા તેમની કાયાની રાખ થતી નજરે જોવા ક્તાં જીવને મમત્વ છૂટતું નથી. બીજાની કાયાની રાખ થતી જોઈને પિતાનો વિગ્નાર આવશે તે પણ પરલોક સુધરી જશે. મહાબલ અણગાર જયંત વિમાનમાંથી ૩ર સાગરોપમની સ્થિતિ પૂરી કરી ત્યાંથી ચવને મતિ-કૃત-અવધિજ્ઞ ન એ ત્રણ જ્ઞાન ધારણ કરીને જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં – fમલ્ટિા ચાળ મરણ ને માઘવીપ કુમિતિ મિથિલા રાજધાનીમાં કુંભક રાજાની પ્રભાવતી દેવીના ઉદરમાં આદાવત આહારના પરિવર્તનથી માનચિત આહારના ગ્રહણથી કરાવતી શરીરની વ્યુત્ક્રાંતિથી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy