SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ હાહા શિખર જાત. પછી મારા પત્ની અને છોકરાઓનું શું થાત? એની ઉદારતાને કારણે હું બચી ગયો છું. એમ બેલી તેના ચરણમાં પડી ગ અને તેને નોકરી અપાવી. દીધી. સંસ્કારી છોકરાના સંગમાં રહી અધિકારી પણ સંસ્કારી બની ગયો. માણસને જે સારો સંગ મળે તે તેનું જીવન સુધરી જાય છે. જ્ઞાતાજી સૂત્રમાં ન્યાય આપે છે. . એક વખત મહારાજાએ ખૂબ સુંદર ને સ્વાદિષ્ટ ભોજન બનાવી પ્રધાન આદિ રાજ્યના અમલદારોને જમવાનું આમંત્રણ આપ્યું. બધા જમવા બેઠાં. બધાં વખાણું વખાણીને ખાવા લાગ્યા પણ પ્રધાન મૂંગે મેંઢ જમે છે, રાજાના મનમાં એમ થાય છે કે હમણાં પ્રધાનજી ભોજનની પ્રશંસા કરશે, પણ પ્રધાનજી તે જમીને ઉડ્યાં તે પણ કંઈ બેલ્યા નહિ. ત્યારે રાજાએ પૂછયું. પ્રધાનજી ! બધાએ ભજન કરતાં પેટભરીને ભેજનના વખાણ કર્યા ને તમે કેમ કંઈ બોલ્યા નહિ? સુબુધિ પ્રધાને કહ્યું. મહારાજા ! જે ભોજન તૈયાર કરતાં છકાય છની હિંસા થાય છે. થાય : છકાયને કૂટે ત્યારે બંને એક રોટે” એક સાદે શેટલે બનાવતાં પણ છકાયને કૂટ થઈ જાય છે. ત્યારે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવતાં કેટલે આરંભ સમારંભ થયો હશે ! તેને ખાતાં વખાણુ શી રીતે કરાય? વળી હે મહારાજા ! ગમે. તેવા ઉંચી જાતનાં સુગંધીદાર પકવાને બનાવ્યા પણ આ પિટમાં પડયા એટલે એ શુભ પુદ્ગલ અશુભ ને દુર્ગધિત બની જાય છે. ' આ રીતે પ્રત્યેક પદાર્થોનો એ સ્વભાવ છે કે તે શુભમાંથી અશુભ અને અશુભમાંથી શુભ બને છે. તેના શું વખાણ કરવા? પણ રાજાને એ વાત મગજમાં : બેઠી નહિ. સુબુધ્યિ પ્રધાન ખરેખર સુબુધ્ધિ હતો. તે જૈન ધર્મના તત્વને બરાબર જાણનાર હતું એટલે રાજાને કહ્યું સમય આવે આપને બતાવીશ. . એક વખત પ્રધાન અને રાજા નગર બહાર ફરવા ગયા હતા. રસ્તામાં એક ખાઈ આવી. તેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગધ આવવા લાગી. રાજાએ નાક આડે તૂ દીધે. ઘણે દૂર સુધી તેની દુર્ગધ આવતી હતી. મહામુશ્કેલીએ ત્યાંથી પસાર થયા. ઘેર ગયા પછી સુબુદ્ધિ પ્રધાને તે ગંધાતી ખાઈનું ૧૦૦ ઘડા પાણી મંગાયું.. ૧૦૦ ઘડાનું પાણી આછરે એટલે તેમાંથી નીચે ઠરેલો કચરો કાઢી સોમાંથી ૫૦ ઘડા, પચાસમાંથી પચ્ચીસ એમ પાણી આછરી જાય એટલે તેમાંથી ઉપર ઉપરનું પાણી લઈ લેતાં. સે ઘડામાંથી એક ઘડે પાણી રાખ્યું. તે પાણીને શુધ્ધ અને શીતળ બનાવી એક દિવસ પ્રધાને રાજાને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. રાજાને ભાતભાતનાં ભેજન જમાડ્યા અને પેલું પાણી પીવડાવ્યું. ત્યારે રાજાએ પૂછયુંપ્રધાનજી! તમે કઈ વાવનું કે કુવાનું પાણી લાવ્યા છે કે પાણી અમૃત જેવું મીઠું છે. કયારેય મેં આવું પાણી પીધું નથી. પ્રધાન કહે છે સાહેબ! જે ખાઈ પાસેથી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy