SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ શારદા શિખર આવું છું. આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને સ્થવિરેએ કહ્યું હે રાજન ! આપની ભાવના ઉત્તમ છે, તે હવે “મા વિઢવ ૩ર સુમરા કમ્ મોડું કરે નહિ. શુભ કાર્ય જલ્દી કરે. સ્થવિર મુનિના વચનામૃતે સાંભળી રાજા પિતાના મહેલમાં આવ્યા. આવીને તેમણે કાર વિષ વાવતા પુછ | પિતાના છએ બાલમિત્રોને બેલાવ્યા ને આ પ્રમાણે પૂછયું કે હું મારા વહાલામિત્રો ! ધર્મશેષ અણુગારની વાણી સાંભળીને મને આ સંસાર ભડભડતા દાવાનળ જેવું લાગે છે. હવે એક ક્ષણ પણ મને આ દાવાનળમાં રહેવું ગમતું નથી. આપણે બધાએ નકકી કર્યું છે કે ધર્મનું કે સંસારનું દરેક કામ સાથે કરવું. તે બેલ, હવે તમારે શું કરવું છે? મારી સાથે સંયમ લેવો છે? ત્યારે મિત્રોએ શું કહ્યું તે સાંભળે. "तएणं छप्पिय बालवयंसए महब्बल राय एवं वयासी जइणं देवाणुप्पिया तुष्भे पव्वयह अम्हे के अन्ने आहारेवा जाव पव्वयामो।" મહાબલ રાજાની વાત સાંભળીને એ મિત્રોએ કહ્યું હે મિત્રવર! જે તમે દીક્ષિત થવા ચાહે છે તે અમારે કોણ આધાર ને આલંબન થશે? એથી અમે પણ તમારી સાથે સંયમ અંગીકાર કરીશું. દેવાનપ્રિયે! વિચાર કરે. આ મિત્રો કેવા ને તમારા મિત્રો કેવા? આ છે મિત્રોએ નિર્ણય કર્યો હતે કે સંસારનું કે ધર્મનું દરેક કાર્ય સાથે કરવું. તમે સંસારનું કામ તે સાથે કરે પણ ધર્મની વાત આવે તે ખસી જાઓ છે, પણ અહીં તે નિર્ણય એટલે નિર્ણય. સંસારમાં રહીને ધર્મનું કામ કરવાનું હોય તે હજુ કરવા તૈયાર થાવ પણ દીક્ષા લેવા કેઈ તૈયાર થાય? અહીં તે મહાબલ રાજાએ કહ્યું કે હું દીક્ષા લેવાને છું ત્યાં પહેલાં ધડાકે કહી દીધું કે હે મિત્ર! જે તમને સંસાર દાવાનળ લાગે છે તો અમે શા માટે દાવાનળમાં રહીએ? જે તમારા માર્ગ તે અમારે માર્ગ, આપણે તે વચનથી બંધાયા છીએ. આ અસાર સંસારમાંથી અમારે પણ આપની માફક સાર ગ્રહણ કરે છે. અમારે દાવાનળમાં રહેવું નથી. जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू । सार भंडाणि निणेइ, असारं अवउज्जइ॥ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । શાપ તારૂસાનિ, તુર્દ ગુમનિશા ઉત્ત, અ.૧૯ગાથા ર૨-૨૩ જે ઘરમાં આગ લાગે છે તે ઘરને માલિક આગ લાગે ત્યારે તેમાંથી સાર સાર વસ્તુને ગ્રહણ કરી લે છે, ને અસાર વસ્તુને છેડી દે છે. ઘરમાં આગ લાગે ત્યારે ઘરના માલિક વિચાર કરે કે મને રેડિયે, પલંગ,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy