SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શારદા શિખર મહાખલ રાજાની કમલશ્રી નામની રાણી એક વખત પલંગમાં સૂતી હતી. કંઈક જાગૃત અને કંઈક નિદ્રા એવી અવસ્થામાં તેને એક સ્વપ્ન આવ્યુ. ને તેણે સ્વપ્નમાં એક સિંહ જોયેા. શૈયામાંથી ઉઠીને પોતાના પતિ મહાબલ રાજાના શયનરૂમમાં આવીને વિનયપૂર્ણાંક એ હાથ જોડીને કહ્યું-સ્વામીનાથ ! આજે મેં સ્વપ્નમાં સિંહ જોચેા છે. સ્વપ્ન આવ્યા પછી જાગૃત થઈ ને ધર્મારાધના કર્યા બાદ હું આપને કહેવા આવી છું. ત્યારે મહાખલ રાજાએ કહ્યું હે મહારાણી ! આપની કુખે સિંહ જેવા બળવાન પવિત્ર પુત્રના જન્મ થશે. તેમ આપને આવેલું સ્વપ્ન સૂચવે છે. પતિના મુખેથી વાત સાંભળીને રાણી ખૂબ આનંદિત થયા. રાણીને રાજાના વચન ઉપર અનન્ય શ્રધ્ધા હતી. એટલે પતિનું વચન તહેત્ કર્યું.. 46 'तए णं सा कमलसिरी अन्नया सीहं सुमिणे । ', બંધુએ ! આગળ હું કહી ગઈ છું કે સ્વપ્નની વાત કાને કહેવાય ને વાત કરતાં પણ આવડવી જોઈએ. અને સાંભળનાર ગંભીર હાવા જોઈએ. એક વાત યાદ આવે છે. બાલવામાં વિવેક જોઈએ”: એક રાજાને સ્વપ્ન આવ્યું કે મારી આખી ખત્રીશી પડી ગઈ. એટલે તેણે જોષીને ખેલાવીને પૂછયું કે મને આવું સ્વપ્ન આવ્યુ છે તેનુ ફળ શું ? જોષી ખૂખ જાણકાર હતા. તેણે ખરાખર જોઈને રાજાને કહ્યું-મહારાજા ! જેમ છે તેમ કહું' ને ? તમે પણ જોષીને કંઈ પૂછે। તે તમારું ભવિષ્ય સારું ભાંખે એવુ ઈચ્છા ને ? જોષી જો તમને ગમે તેવું સારુ કહે તા આનંદ આનંદ અને તમને દુઃખ આવશે કહે તેા જોષીને કહે કે હાલતા થઈ જા. એટલે એ બિચારા તમને સારુ' કહે. આ જોષીએ રાજાને કહ્યું જુઓ સાહેબ ! આપની આખી ખત્રીશી પડી ગઈ તેવુ' સ્વપ્ન આવ્યુ છે. તેનું ફળ એ છે કે આપની હયાતીમાં આખું કુટુંબ સાફ થઈ જશે. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સા આવ્યેા. ને જોષીને જેલમાં બેસાડી દીધા. જોષીને પણ ભાન થયું કે મેં સત્ય વાત કહી છે છતાં મારે જેલમાં બેસવાનું થયું. કારણ કે આજે સાચાની દુનિયા નથી. રાજાએ ખીજા જોષીને મેલાવીને સ્વપ્નનું ફળ પૂછયું તે તેણે કહ્યું કે હે મહારાજા ! આપ એવા દીર્ઘાયુષ છે, એવા ભાગ્યવાન છે કે તમારુ' મૃત્યુ કોઈ જોઈ શકશે નહિ. હવે જો રાજા સમજે તેા વાત તેા તેની તે જ હતી પણ ભાષામાં ફરક હતા. રાજા તે એની વાત સાંભળીને હરખાઈ ગયા. જુએ, પહેલા જોષીએ કહ્યું ત્યારે રાજાને ગુસ્સા આબ્યા ને ખીજા જોષીએ કહ્યું ત્યારે હષ થયેા. આનું કારણ ભાષામાં વિવેક હતા. ખાકી આ જોષી જે જોીને જેલમાં પૂર્યાં તેનો શિષ્ય હતા. એની પાસેથી જ્ઞાન ભા હતા પણ એ ભાષાને વવેકથી ને મીઠાશથી એલ્યેા એટલે રાજાને પ્રિય લાગી. ને પેલા વિવેક રહિત અપ્રિય ભાષા બેન્ચેા તેથી રાજાને વાણી કડવી લાગી.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy