SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની યેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતી અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૭થી આ પેજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. ' આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકે અને સંદર્ભ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્ર આપવાની વ્યવસ્થામાં “ભારતમાં મૂર્તિપૂજની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે' પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમે એ વાતે થાય છે કે પુસ્તકના લેખક કે. જે. પી. અમીન આ વિષયના જ્ઞાતા છે અને એમણે પિતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાથીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડો. પી. સી. પરીખનો આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાંને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડ, ગુજરાત રાજ્ય, અમદાવાદફેબ્રુઆરી, ૧૯૮૨ જે. બી. સેંડિલ અધ્યક્ષ
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy