SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા તૈત્તિરીય આરણ્યકમાં મૂર્તિઓના ઘણા ઉલ્લેખ મળે છે. દા. ત., ૧. દ્ધને સફેદ વસ્ત્રો હોય છે. ૨, દેવનાં વસ્ત્રો પીળા રંગનાં વાપરવાં 8. કશ્યપની કલામાં સાત સે રજૂ કરેલા છે. ૪. “વિશવકર્મા સૂયમૂતિએ તમને આપે. ૫. “વષ્ટા તમને મૂતિએ આપે.' ૬. “વિદ્વાન ત્વષ્ટા મૂર્તિઓ બનાવનાર છે. ૭. “તમે જ મૂર્તિ છે” વગેરે. અતરેય આરણ્યકમાં પણ આવા કેટલાક ઉલ્લેખ મળે છે, જેમ કે મેં ઇન્દ્રદેવનું શરીર બનાવ્યું વગેરે. સૂત્ર-સાહિત્યમાં દેવની મૂતિઓના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મહસૂત્રો અને શ્રોતસૂત્રોમાં મૂર્તિની સ્થાપના મૂતિ માટે મંદિર વગેરેને લગતા સ્પષ્ટ ઉલેખ જોવા મળે છે, જેના પરથી પ્રતીત થાય છે કે આ સમયે મૂર્તિપૂજાને પ્રચાર સર્વ સામાન્ય હશે. બૌધાયન પાત્રમાં વિષ્ણુ મહાપુરુષ, વિનાયક (ગણેશ), યમ વગેરેના ઉલ્લેખ મળી આવે છે. જેના પરથી પ્રતીત થાય છે કે આ સમયે વિવિધ દેવાની પૂજા થતી હશે. આ ઉપરાંત આ અવસૂત્રમાં સુવર્ણમૂતિઓ અને ગ્રામ્ય દેવતાઓના પણ ઉલ્લેખ છે, જેના પરથી પ્રતીત થાય છે કે તે સમયે સુવર્ણની પ્રતિમાઓ પણ બનતી હશે. અથર્વવેદના કૌશિકસૂત્રમાં દેવોને નૃત્ય કરતા, પડી, જતા, હસતા અને ગાતા હોવાના ઉલેખ અવારનવાર મળે છે. આશ્વલાયન ગૃહસૂત્રમાં પણ મૂર્તિપૂજાના ઉલ્લેખ છે. એમાં ગૃહદેવતા અને વાસ્તુદેવતાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ઉપરાંત આમાં ગૃહ પરિશિષ્ટમાં ગ્રહની મૂતિઓ અને એની નિર્માણ સામગ્રીનાં દ્રવ્યની નોધ છે. મનમૃતિમાં મૂતિઓના ઘણા ઉલેખે મળી આવે છે. એમાં જણાવ્યું છે કે બ્રહ્મચારીની ઘણુ ફરજોમાંની એક ફરજ દેવની મૂર્તિની પૂજા કરવાની છે. દેવલક અથવા નીચી કક્ષાના બ્રાહ્મણની નેધ છે કે તે મૂતિઓને આપેલ બલિદાનથી(દેવદ્રવ્યથી પિતાનું જીવન નિભાવતો હતો. મનુએ મૂર્તિની પ્રદક્ષિણા કરવાના નિયમો આપ્યા છે. ઉપરાંત તેના પડછાયાને ઓળંગવાના અને તેની હાજરીમાં લેવાની પ્રતિજ્ઞા વગેરે પણ જણાવ્યાં છે. તેવી જ રીતે ભૂમિની છત માટેના નિયમો અને તેમાંના એકમાં મૂર્તિઓની પૂના નિયમે આપ્યા છે. મનુના સમયમાં બીજી ચીજોની સાથે બે જમીન વચ્ચેની સીમા બતાવવા માટે દેવના મંદિરનો ઉપયોગ સીમા રેખા તરીકે થતા તે બતાવ્યું છે. તેવી જ રીતે મૂતિ તેડવાને મોટો ગુને હતે. ગૌતમ ધર્મસૂત્ર જણાવે છે કે, દેવના મંદિરની પ્રદક્ષિણા કરવી જોઈએ તથા દેવની મૂતિઓ સંમુખ કેઈપણ પ્રકારનું અનિષ્ટ * * *
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy