SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જય વીયરાય સંસારના આ ઘોર અને ભયંકર દુઃખો વર્ણનાતીત છે. શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. મનથી પણ કલ્પી શકાય તેમ નથી. આવા વર્ણનાતીત-કલ્પનાતીત દુઃખો આ જીવ અનંતકાળથી ભોગવત આવ્યો છે. પંયસૂત્રમાં કહ્યું છે - 'अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइ कम्मसंजोगनिवत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । જીવ અનાદિથી છે (જીવનો પ્રારંભ નથી). જીવનો સંસાર પણ અનાદિ છે. સંસાર અનાદિકર્મના સંયોગથી નિવર્તિત છે. (પ્રવાહથી કર્મસંયોગ અનાદિકાળથી છે) અને આ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે. અને દુઃખની પરંપરાવાળો છે. આ દુઃખોની પરંપરાવાળા સંસારનો અંત એક માત્ર અરિહંત પરમાત્માના શરણથી જ થાય છે. સંસારના દુઃખોમાં આપણે સબડીએ છીએ એનું કારણ એકમાત્ર પરમાત્મા સાથેનો સંયોગ નથી થયો તે જ છે. માટે જ પરમાત્માને પ્રણિધાનપૂર્વક અંતરથી પ્રાર્થના કરીએ... હે નાથ ! આપને કરેલા પ્રણામના અયિત્ય પ્રભાવથી, આપને નમસ્કાર કરવાના શુભ ભાવના
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy