SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) શુભ-ગુરૂનો યોગ 'होउ ममं तुह पभावओ सुहगुरुजोगो ।' હે નાથ ! તમારા પ્રભાવથી મને શુભ ગુરૂનો યોગ થાવ. ભવનિર્વેદથી પરાર્થકરણ સુધીની છ લોકિક વિષયની પ્રાર્થનાઓ પૂર્ણ કરી હવે લોકોત્તર વિષયક પ્રાર્થના શરૂ થાય છે. લોકિક એટલે જિનશાસન ન પામ્યા હોય તેમને પણ જે લાગુ પડી શકે છે. તેઓને પણ સુંદર જણાય તે... માત્ર જિનશાસનમાં જ લાગુ પડી શકે તે લોકોત્તર - સર્વજ્ઞ કથિત ધર્મની દષ્ટિએ સુંદર છે. ઉપરોક્ત છ પ્રાર્થનાઓમાં પ્રાર્થિત કરેલ ગુણની પ્રાપ્તિ થયા પછી એ ગુણો કે કર્તવ્યોથી વાસિત થયેલ જીવમાં હવે ઉત્તમગુરુની પ્રાપ્તિની યોગ્યતા પ્રગટ થઈ ગઈ હોય છે. તેથી હવે પરમાત્મા પાસે ઉત્તમગુરુના યોગની પ્રાર્થના કરીએ છીએ. જો ઉપરની છ વસ્તુ જીવનમાં ન હોય તો પ્રાયઃ શુભગુરુનો યોગ પ્રાપ્ત થતો નથી અને કદાય પ્રાપ્ત થાય તો પણ પ્રાયઃ સફળ થતો નથી. અહિં પ્રાયઃ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે ક્યારેક કોઈ જીવ
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy