SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ चिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादीनिव मनःशुद्ध्याराधयन्नभीष्टफलमवाप्नोति ॥ વસ્તુસ્વભાવ જ એવો છે કે અચિંતચિંતામણી મહાભાગ તીર્થકરોની સ્તુતિ કરીને વાંછિત અર્થને પ્રાપ્ત કરાય છે. ટીકાર્થ :- “જો કે પ્રભુ વીતરાગાદિ હોવાના કારણે પ્રસાદ કરતા નથી, તો પણ અચિંત્ય મહાભ્યયુક્ત તેઓની ચિંતામણી આદિની જેમ મનઃશુદ્ધિથી આરાધના કરનાર ઈષ્ટફળને પ્રાપ્ત કરે આ પરમાત્મા સમક્ષ તીવ્રભાવપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. અહીં મારો પ્રયત્ન પણ એ માટે જ છે. ‘જયવીયરાય’ સૂત્ર દ્વારા થતી પ્રાર્થનાઓ વધુ તીવ્ર ભાવવાળી બને અને શીવ્ર ફળદાયી બને. અહીં બધી જ પ્રાર્થનાઓનું વિશદ વિવેચન કરેલ છે. પ્રથમ છ પ્રાર્થના ભાવપૂર્વક કર્યા પછી તે છ વસ્તુ જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો... પ્રાર્થનાના બળથી તેમાં અવશ્ય સફળતા મળશે અને આ છ વસ્તુની વ્યવસ્થિત પ્રાપ્તિ થયા પછી ૭મી અને ૮મી પ્રાર્થનામાં યાચના કરેલ ‘સદ્દગુરુનો યોગ’ અને ‘તેમના વચનનું અખંડ પાલન’ પણ પ્રાપ્ત થશે. સદ્ગુરુના વચનની આરાધનાથી છેક મુક્તિ સુધીનો માર્ગ
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy