SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા તેમજ મુખ્ય માર્ગો પર કરી એમાં અપરાજિત, યંત, શિવ, વૈશ્રવણ, અશ્વિન તથા શ્રી–દેવીનાં સ્થાનકો સ્થાપવાનો આદેશ છે. તેથી એ સમયે એમની મૂર્તિ બની હોવાનું જણાય છે. શિલ્પશાસ્ત્ર શિલ્પશાસ્ત્રની ભારતમાં બે-પરંપરા છે. ઉત્તારી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. ઉત્તારી અથવા નાગરશૈલીના વાસ્તુ ગ્રંથોના મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા ગણાય છે. નાગરશૈલીના ગ્રંથમાં “વિશ્વકર્મ–વાસ્તુ–શાસ્ત્ર' (વિશ્વકર્મ–પ્રકાશ) ભોજદેવનું “સમરાંગણસૂત્રધાર અને ભુવનદેવનું “અપરાજિતપૃચ્છા' મુખ્ય છે. દ્રવિડશૈલીના વાસ્તુગ્રંથોના પ્રણેતા મય’ ગણાય છે. દ્રવિડ શૈલીને પ્રમુખ ગ્રંથ “માનસાર” છે. તે ઉપરાંત અગત્ય-રચિત “સકલાધિકાર, કશ્યપને “અંશુમભેદાગમ.” મયને “મયમત, શ્રીકુમાર-કૃત “શિલ્પરત્ન’ ગણનાપાત્ર ગ્રંથ છે. “માનસારના કુલ ૭૦ અધ્યાયમાં ૫૦ અધ્યાય વાસ્તુકલા પર અને બાકીના ૨૦ અધ્યાય મૂર્તિકલા પર છે. એમાં હિંદુ ઉપરાંત જૈન અને બૌદ્ધ મૂર્તિ—વિધાનની વિગતો પણ આપી છે. અગત્યને સકલાધિકાર માત્ર શૈવ પ્રતિમા-વિધાનની જ ચર્ચાઓનું સંકલન કરે છે. કાશ્યપનું અંશુમભેદાગમ” ઘણો વિસ્તૃત ગ્રંથ છે. તેમાં ૮૬ અધ્યાયો પૈકી શરૂના ૪૫ અને અંતિમ ૨ અધ્યાય વાસ્તુને લગતા છે, બાકીના ૩૯ અધ્યાયોમાં વિવિધ પ્રતિમાઓનાં સાંગોપાંગ વર્ણને આપેલાં છે. “મમત” માં મૂર્તિશાસ્ત્રને લગતા ચાર અધ્યાયો છે. વિશ્વકર્મા પ્રકાશ નાગરશૈલીનો પ્રાચીન ગ્રંથ છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા–વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટદેવીની મૂર્તિ–નિર્માણ–વ્યવસ્થાનું તેમ જ બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન છે. “સમરાંગણસૂત્રધારમાં પણ કેટલાક અધ્યાયો મૂર્તિવિધાનને લગતા છે. ભુવનદેવનો ‘અપરાજિતપૃચ્છા' વાસ્તુની જેમ પ્રતિમા–વિધાનનો એક અપ્રતિમ ગ્રંથ છે. મૂર્તિવિધાનના એના સ્વતંત્ર અધ્યાયો (સૂત્રો) વિપુલ માહિતી આપે છે. એનાં ઘણાં સૂત્રો, લિંગ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, ગણપતિ, દેવી, પંચાયતન, જૈન વગેરેની મૂર્તિઓના અનેકવિધ પ્રકારોનાં વૈધાનિક સ્વરૂપોની વિશદ ચર્ચાઓ રજૂ કરે છે. આ સિવાય પ્રતિમા–વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથોમાં પાંચરાત્ર દીપિકા, ચતુર્વર્ગચિંતામણિ, મૂર્તિધ્યાન, મૂર્તિલક્ષણ, લક્ષણસમુચ્ચય, દેવતાશિલ્પ, રૂપમંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, રૂપાવતાર, જ્ઞાનરત્નકોશ, શિલ્પસાર, શિલ્પરત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે પ્રકરણો કે સ્વતંત્ર ગ્રંથો નેધપાત્ર છે. શુક્રનીતિ, શારદાતિલક, નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરતંત્ર, શ્રીતત્ત્વનિધિ પૂજા પદ્ધતિઓ, પ્રતિષ્ઠાવિધિઓ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ મૂર્તિ–વિધાનની
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy