SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : પ્રાસ્તાવિક વૈદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે અને મોટેભાગે તે ઉત્તર ભારતની શિલ્પસ્થાપત્યની પ્રણાલિકાના આચાર્ય હોય તેમ જણાય છે. દક્ષિણની પરંપરાના મુખ્ય આચાર્ય “મય” નામથી ઓળખાય છે. તેમણે શિલ્પ–સ્થાપત્યની સ્વતંત્ર પ્રણાલિકા નિપજાવી હોવાનું મનાય છે. બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્રગ્રંથોમાં સ્થાપત્યકીય સ્વરૂપોને લગતાં ઠીક ઠીક વર્ણને આપેલાં છે. પણ એમાં શિલ્પ-પ્રતિમા વિધાનને લગતી માહિતી બહુ ઓછી ઉપલબ્ધ થાય છે. રામાયણ અને મહાભારતમાં દેવાલયો, રાજમહાલયો, નગરો વગેરે વાસ્તુકલાને લગતા ઉલ્લેખ જોવામાં આવે છે. ત્યાં પણ વિશ્વકર્મા અને મયને અનુક્રમે દેવો અને દાનવોના શિલ્પીઓ તરીકે ઓળખાવ્યા છે. દેવોને જે સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં આવતા તેને મંદિર, દેવતાયન, સુરાલય વગેરે નામે ઓળખાવેલ છે ને તે પરથી વિવિધ દેવ ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા, વગેરેની મૂર્તિઓ બનતી હોવાનું જાણવા મળે છે. રામાયણમાં બ્રહ્મા પાસેથી વાસ્તુવિદ્યાનું જ્ઞાન માટે કેવી રીતે. મેળવ્યું હતું એનું વર્ણન “કિષ્કિન્ધાકાંડમાં આપ્યું છે (અ. ૫૧). વળી અહીં નિરૂપિત કથા પ્રમાણે મય અને શુક્ર એક જ વાસ્તુવિદ્યાની પરંપરાને અનુસરતા, તેવું પણ સૂચવાયું છે. પ્રતિમા–નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાએ-પુરાણ, આગમ, તંત્ર શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠાપદ્ધતિ-પ્રચલિત હોય તેમ જણાય છે. ભારતીય શિલ્પ અને પ્રતિમા–રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર અને પ્રસાર છે. આ કારણે જ ભારતમાં ભવ્ય પ્રાસાદો, વિમાનો, રમૈત્યગૃહો, વિહારો,. તીર્થસ્થાનો, જલાશો વગેરેનો વિકાસ થયો છે. આ વાસ્તુ-વૈભવના એક અંગ, તરીકે પ્રતિમા અને શિલ્પ-નિર્માણની અદ્ભુત પરંપરા ઉપરોકત સાહિત્યિક ધારાએ ઉપરાંત જ્યોતિષ જેવા અર્ધવાસ્તુશાસ્ત્રીય ગ્રંથોમાં પણ વાસ્તુનિર્માણ સાથે પ્રતિમા. કલાનાં પ્રકરણો આકાર પામ્યાં છે. દા.ત., વરાહમિહિરની ‘બૃહત્સંહિતા.' પુરાણ અને આગમ આમ તો લગભગ બધાં જ પુરાણોમાં દેવ પ્રતિમા–નિર્માણની પ્રચુર માહિતી સંગ્રહાઈ છે, પરંતુ મત્સ્ય, વિષણુ, લિંગ, અગ્નિ, ગરુડ, કંદ અને ભવિષ્ય પુરા-- ણમાં અને ખાસ કરીને વિષ્ણુધર્મોત્તારમાં પ્રતિભા-વિધાનને લગતી વિસ્તૃત ચર્ચાઓ આવી છે. મત્સ્યપુરાણમાં લગભગ દસ અધ્યાયો(૨૫૨, ૨૫-૨૬૭)માં વિવિધ પ્રતિમા-લક્ષણોની ચર્ચાઓ આપી છે. એમાં ચર્સેલ પ્રતિમા-માનનું પ્રકરણ (અ.૨૬૭) તે અદ્ભુત છે. વળી શિવ પ્રતિમાઓમાં લિંગ-મૂર્તિઓ ઉપરાંત આગમ પ્રસિદ્ધ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy