SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અનુમૌર્યકાલીન શિલ્પકલા બાહુમાં અંગદ અને કાંડામાં વલય ધારણ કર્યા છે. મુખમંડપના સ્તંભોમાં શીર્ષકો પર કમલપાંદડીઓ ઉપર ઊર્ધ્વ કાર્ય સ્ત્રી–મૂર્તિઓ વૃષભારોહી-મુદ્રામાં છે. એમની ભાવભંગી અન્યત્ર જોવામાં આવતી અશ્વારોહી કિનર મૂર્તિઓને મળતી છે. મુખમંડપના પ્રવેશની બંને બાજુએ મૂર્તિશિલ્પ છે. એમાં એક બાજુએ એક રાજાને ચાર ઘોડા જોડેલા રથમાં સવારી કરો દર્શાવ્યો છે. એની પાછળ છત્ર તથા ચામરધારિણીઓનાં શિલ્પો છે. કોઈક નગ્ન અસુરના દેહને દબાવતે રાજાનો રથ પસાર થાય છે. બીજી બાજુએ રાજાને હાથી ઉપર સવારી કરતો દર્શાવ્યો છે. એની પાછળ ધ્વજ લઈને એને અનુચર બેઠેલે છે. વેગીલા હાથીએ પિતાની ઊંચે લીધેલ સૂંઢ વડે એક વૃક્ષની ડાળને ઉખાડી નાંખી છે. નીચેની બાજુએ કલ્પવૃક્ષની શાખાઓમાંથી મિથુન શિલ્પોનો આર્વિભાવ થતે દર્શાવ્યો છે. એ વૃક્ષ નીચે બેઠેલાં મિથુન ગીત, વાઘ ને નૃત્યને આનંદ માણી રહ્યાં છે. ઉપર્યુંકત બંને દશ્યો ઉત્તરકુરુ પ્રદેશમાં ચક્રવતી સમ્રાટ માંધાતાના વિહારને લગતાં હોવાનું અનુમાન છે. બૌદ્ધ ગ્રંથ “દિવ્યાવદાન” માં એને લગતી કથા આપી છે. ૨) કેન્ડાને ઃ કોન્ડાનેના ચૈત્યગૃહો મુખભાગ ભાજા જેવો છે. આખોયે ગુફા સંપૂર્ણ ખડકમાંથી કોતરેલી છે. માત્ર પડાળીમાં જ લાકડાનો ઉપયોગ કર્યો છે. શિલા અને કાષ્ઠનું સંમિલન આ ચૈત્યગૃહમાં સાધવામાં આવ્યું છે. પડાળીના સ્તંભો પણ લાકડાના હતા. આ ચૈત્યગૃહ સાથે સંકળાયેલા વિહારના સ્તંભોને ઘાટ સંપૂર્ણત: લાકડાની બાંધણીને અનુસરતો છે. ૩–૫) અજટા ગુફા નં. ૯ અને પિત્તલબેરાનાં ચૈત્યગૃહો ઉપરની બંને ગુફાઓ સાથે સામ્ય ધરાવે છે. અંજટા ગુફા નં. ૯ની પડાળીની કુન્નપૂષ્ઠ (અર્ધનળાકાર) છત પણ ખડકમાંથી કોતરી કાઢેલી છે. આ ચૈત્યગૃહમાં આપેલ અગિયાર પગથિયાંની સીડીની બંને બાજુએ સપક્ષ અશ્વ તથા તેની આગળ તથા પાછળ ભારપુત્રક(આકૃતિ ૧૯)ની મુદ્રામાં બબ્બે યક્ષોનાં શિલ્પ-કોતરેલાં છે. અજંટા ગુફા નં. ૧૦ ના ચૈત્યગૃહમાં કોતરેલી મૂર્તિ ઓ પાછલાં કાળની છે. પિરાલરાના ચૈત્યગૃહ સાથે સંકળાયેલા વિહારના સ્તંભોને ઘાટ કોડાનેના વિહારના સ્તંભો જેવા જ છે. એના મુખભાગનાં વાતાયને અને વેદિકા-અલંકરણની નીચે મિથુન શિલ્પો કોતરેલાં છે. મંડપના સ્તંભ પરની શિરાવટીઓમાં નરવાલ અને પશુસંઘાટનાં શિલ્પો છે. મુખ્ય દ્વારની બંને બાજુએ મહાકાય દ્વારપાલો છે. પ્રવેશદ્વારના પાશ્વતંભો પર ત્રિરત્ન યુકત પ્રફુલ્લિત પુષ્પનાં અલંકરણે છે. દ્વારના
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy