SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ પ્રશ્ન પેપર નં. ૨૦ ઉત્તર કારણ કે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોવાથી અરૂપી છે અને અરૂપી દ્રવ્યને આપણે જોઈ શકતા નથી. મનપર્યતજ્ઞાનમાં જીવ મારણાંતિક કરે કે નહીં? શા માટે? ઉત્તર ન કરે. કારણ કે મન:પર્યવજ્ઞાન તો મરણની અં. મુ. પહેલાં ચાલ્યું જાય છે. માટે ન કરે. (૮) છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધના જીવો રહેલા છે એટલે કેટલું સમજવું? શા માટે એટલી જ જગ્યામાં બધા રહી શકે ? ઉત્તર ગાઉનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્યને ૩૨ આંગુલ થાય. સિદ્ધ થાય તેની ઉત. અવગાહના ૫૦૦ ધનુષ્યની બતાવી છે. તેમાં ૨/૩નો ધન પડે. ૫૦૦ ધનુષ્યનો ૩૩૩ ધનુષ્યને ૩૨ આંગુલનો ઘન પડે. તેટલા ક્ષેત્રમાં બધા સિદ્ધો અરૂપી હોવાથી સમાવેશ થઈ જાય છે. (૯) નવ રૈવેયકને ૫ અનુત્તરમાં દેવો ઉપશાંત કષાયી કેમ હોય છે? ઉત્તર કારણ કે ત્યાં સ્વતંત્ર પરિગ્રહ કોઈને નથી. તેઓ ઉત્તર વૈક્રિય કરતા નથી માટે. (૧૦) સનકુમાર ચક્રી પાસે ૧૬ રોગ દૂર કરવાની શક્તિ સૌથી પહેલાં ક્યારથી હતી? છતાં પણ ઉપયોગ શા માટે ના કર્યા? ઉત્તર રોગ થયા ત્યારે જ શક્તિ હતી. કારણ કે ચક્રવર્તિના સ્ત્રી રત્નમાં એવો ચમત્કારી ગુણ હોય છે કે ચક્રવર્તિ તેનો સ્પર્શ કરે કે તરત જ બધા રોગો દૂર થઈ જાય. પરંતુ વૈરાગ્ય જાગૃત થઈ જતાં તેનો ઉપયોગ કરતાં નથી. પ્ર. ૨ એક જ લીટીમાં જવાબ લખો. (૧) હરણે અંતે હરણ જ કર્યું? જવાબ નમકમારે (૨) બળવાનની શક્તિને દ્રવ્યમાત્રથી કોણે નબળી કરી? જવાબ નંદીસેણે. સેચનક હાથીની. (૩) જમાઈએ સામે દુકાન માંડી? જવાબ જમાલીએ. મહાવીરની સામે, (૪) પહેલી જ નજરે પસંદ કરનાર કોણ?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy