SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય પ્રચંડા, ચંડિકા વગેરે નેધપાત્ર છે. દેવીપીઠેમાં કાશી, પુષ્કર, હરદ્વાર, દ્વારકા, વૃંદાવન વગેરે અગત્યનાં સ્થળ મનાય છે. | ગુજરાતનાં શાક્તપીઠેમાં આરાસુરમાં (અંબિકાપીઠ) ગિરનારમાં અને પાવાગઢમાં, (કાલિકાપીઠ) છે. ચુંવાળમાં બહુચરાજીનું સ્થાનક, પોરબંદર પાસે હરસિદ્ધિ દેવીપીઠ, કચ્છમાં નારાયણ સરોવર પાસે આશાપુરી માતાને ગઢ, ઓખાબંદરમાં અભયામાતા પીઠ, દ્વારકામાં રુકિમણું, ચંદ્રભાગા, ભદ્રકાલીપીઠ, હળવદમાં સુંદરીપીઠ, નર્મદાતટે અનસૂયા ક્ષેત્ર, વગેરે નોંધપાત્ર દેવી સ્થાને છે. ગુજરાતમાં દેવીપૂજાને પ્રચાર ? ગુજરાતમાં ઘણું પ્રાચીનકાલથી શાક્ત સંપ્રદાય પ્રચલિત હતા. દ્વારકાના પ્રદેશમાં શ્રીકૃષ્ણ વસવાટ કર્યો તે વખતથી સૌરાષ્ટ્રમાં શાક્ત સંપ્રદાય અસ્તિત્વ ધરાવતે હતો એમ પુરાણે પરથી જાણવા મળે છે. આરાસુરની દેવી અંબિકાપીઠ ઘણું પ્રાચીન સ્થાન મનાય છે. અનુશ્રુતિ પ્રમાણો જાણવા મળે છે કે શ્રીકૃષ્ણને ચૌલકર્મ સંસ્કાર આ સ્થળે થ હતો અને રુકિમણી દેવી અંબિકાના પૂજન માટે આ સ્થળે આવ્યાં હતાં. ત્યાંથી તેમનું હરણ થયું હતું. આ વિશે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. તેમ છતાં તેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી શક્તિપૂજા પ્રચલિત હતી. ક્ષત્રપાલમાં દેવીપૂજા પ્રચલિત હતી તેમ ગુજરાતમાંથી મળેલ કેટલીક ક્ષત્રપકાલીન દેવી પ્રતિમાઓ ઉપરથી જાણવા મળે છે. શામળાજી અને તેની આસપાસના પ્રદેશમાંથી નીચેની કેટલીક નાની મોટી ક્ષત્રપકાલીન હિંદુદેવીઓની પ્રતિમાઓ મળી આવેલ છેઃ (૧) કમરે હાથ દઈ ત્રિભંગમાં ઊભેલી અને પગ પાસે ઊભેલા નાના બાળક સાથેની પક્ષી કે કેઈની દેવીની પ્રતિમા (૨) માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ (૩) ભીલડી વેગે ઊભેલી પાર્વતીની પ્રતિમા (૪) શામળાજીમાંથી મળેલ ચામુંડાદેવીની ઊભી પ્રતિમા. આ ઉપરાંત આ પ્રદેશમાંથી કેટલીક સપ્તમાતૃકાઓની ક્ષત્રપકાલીન પ્રતિમાને ઓ મળી આવેલ છે. આ સર્વ ઉપરથી જણાય છે કે ક્ષત્રપાલમાં ગુજરાતમાં શક્તિપૂજા પ્રચલિત હતી. આ સમયે શક્તિપૂજા મહદ્ અંશે શૈવસંપ્રદાય સાથે સંકળાયેલ હતી. તેને કોઈ સ્વતંત્ર સંપ્રદાય તરીકે વિકાસ થયેલ હોય તેમ જણાતું નથી. મૈત્રકકાલમાં પણ શાક્ત સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત હતો તેમ મૈત્રક રાજવી ધ્રુવસેનના તામ્રપત્ર ઉપરથી જણાય છે. આ રાજવીના દાનપત્રમાં દેવીનું નામ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy