SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ . ગુજરાતના ધમ સોંપ્રદાય સમય જતાં આ સંપ્રદાયમાં પણ વિવિધ વિચારસરણીને લીધે વિવિધ શાખાએ પડી ગઈ. ધીરે ધીરે તે પણુ સ્વતંત્ર સંપ્રદાય તરીકે એળખાવા લાગી. આ શાખાએ (૧) શ્રીસંપ્રદાય, (૨) નિમ્બાર્ક સંપ્રદાય, (૩) મધ્વ સંપ્રદાય, (૪) પુષ્ટિ સંપ્રદાય, (૫) ચૈતન્ય સ ંપ્રદાય, (૬) ઉદ્ભવ અથવા સ્વામીનારાયણ સંપ્રદાય. વગેરે નામે પ્રચલિત બની. આ સર્વેમાં પુષ્ટિ સંપ્રદાય અને સ્વામીનારાયણુ સંપ્રદાયના પ્રચાર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થયા છે. ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રસારઃ *. મહાભારતમાં જાણવા પ્રમાણે ભગવાન કૃષ્ણ મથુરા છે।ડી યાદવા સાથે દ્વારકા આવ્યા તેવા ઉલ્લેખ છે. જો આમાં અતિહાસિક સત્ય હોય તેા લગભગ એછામાં ઓછા ત્રણ હજાર વર્ષ પૂર્વે ભગવાન વાસુદેવના અનુયાયીએ દ્વારકાની આસપાસના આનર્ત નામે એાળખાતા પ્રદેશમાં રહેતા હેાવા જોઈએ. પણ એટલા જૂના કાળમાં એ પ્રદેશમાં વાસુદેવના અનુયાયીએ રહેતા હોવાના કાઈ પુરાવા મળતા નથી. પૂર્વકાલીન પુરાણામાં પણ દ્વારકાના વૈષ્ણવ ધામ તરીકે ઉલ્લેખ જણાતા નથી, એટલું જ કહી શકાય કે કૃષ્ણના સમયમાં દ્વારકામાં વૈષ્ણવ ધર્માં પ્રચલિત થયા હશે, પશુ કૃષ્ણના મૃત્યુ બાદ યાવાની સાથે જેમ દ્વારકાના નાશ થયે તેમ આ વૈષ્ણવ ધર્માંના પણ અંત આવ્યેા હશે. પ્રાચીનકાલ ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રસારના ચોક્કસ પુરાવા સ્કંદગુપ્તના ગિરનારના લેખમાંથી મળે છે. ગુપ્તવ શના રાજવીએ પેાતાને પરમ ભાગવત' કહેવડાવતા. તેએ ભાગવત સ ંપ્રદાયના અનુયાયી હોવાથી સંભવ છે કે તેમણે પેાતાના રાજ્યમાં ભાગવત ધર્મના પ્રચાર કર્યાં હોય. ગિરનારના ગુપ્ત સં. ૧૩૭ (ઈ.સ. ૪૫૬)ના સ્ક ંદગુપ્તના લેખમાં લેખની શરૂઆત વિષ્ણુના વામન અવતારની સ્તુતિથી કરેલ છે. તેમાં સ્કંદગુપ્તના રાજ્યપાલ પણુ દત્તના પુત્ર ચક્રપાલિતે ચક્રધર(વિષ્ણુ)નું મંદિર સુદર્શન તળાવની પાળ ઉપર બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. ગુજરાતમાં આ સૌથી પહેલું વિષ્ણુનુ મંદિર હશે. ગુપ્તકાલમાં અને તે પછીના સમયમાં વિષ્ણુપૂજાના પ્રચાર ધીરે ધીરે વધવા લાગ્યો. ધીરે ધીરે ગુજરાતમાં વૈષ્ણવ ધમ નાં મદિરા અન્યત્ર બધાયાં હરશે, પણ તેના ઊઈ અવશેષો કે સાહિત્યિક ઉલ્લેખા મળતા નથી. પ્રભાસમાં જે સ્થાને કૃષ્ણને ભીલનું ખાણુ વાગ્યું હતુ, .તે દેહાત્સગ તીથ (ભાલકાતી) અને સ ંગમ તી ઘણાં પ્રાચીન હોવાં જોઈએ, પણ તેની પ્રાચીનતાના કાઈ સ્પષ્ટ પુરાવા મળતા નથી,
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy