SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય શિવ પોતે વ્યાઘચર્મ ધારણ કરે છે. તેમનાં આયુધ ડમરુ અને ત્રિશૂળ છે. તેમનું વાહન વૃષભ છે. ગળે સર્ષની માળા ધારણ કરે છે. શરીરે ભસ્મ લગાવે છે. સમય જતાં આ શૈવસંપ્રદાયમાં વિવિધ પ્રકારના મતે પ્રચલિત થતાં જુદી જુદી શાખાઓ પડી ગઈ. જેવી કે (૧) પાશુપત અથવા માહેશ્વર સંપ્રદાય, (૨) કાપાલિક સંપ્રદાય, (૩) દ્રવિડ સંપ્રદાય, (૪) કાશ્મીરી શૈવ સંપ્રદાય, (૫) વીર શૈવ સંપ્રદાય, (૬) નાથ સંપ્રદાય વગેરે. આ સર્વ શાખાઓએ પિતાના વિવિધ પ્રકારના આચારવિચારને લીધે ધીરે ધીરે સ્વતંત્ર સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું, ગુજરાતમાં આમાંની પાશુપત સંપ્રદાય તથા નાથ સંપ્રદાય શાખાને ઠીક ઠીક પ્રસાર થયો. ગુજરાતમાં શૈવધર્મને પ્રસાર: ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો માટે ભાગે લેથલમાંથી વિસ્તૃત પ્રમાણમાં મળ્યા છે. અહીંથી લિંગ કે યોનીના ઘાટના કે આઘશિવની આકૃતિ. વાળી કઈ મુદ્રાઓ મળી નથી. ( પુરાણમાં જણાવેલી શાર્માતા અને યાદવની કથાઓમાં શૈવ ધર્મના ઉલ્લેખ મળતા નથી, પણ મહાભારત અને વિશ પુરાણમાં ગુજરાતમાં સૌથી પ્રાચીન તીર્થક્ષેત્રો પ્રભાસ અને ભૃગુતીર્થને ઉલ્લેખ મળે છે. અહીંયાં બને તીર્થોને તીર્થો તરીકે ઓળખાવેલ છે. આ ઉપરાંત અબ્દક્ષેત્ર, દ્વારકાક્ષેત્ર, નર્મદાક્ષેત્ર, ધર્મારણ્યક્ષેત્ર, બ્રહ્મક્ષેત્ર, સરસ્વતીક્ષેત્ર, હાટકેશ્વરક્ષેત્ર વગેરે તીર્થમાં અનેક શિવાલયો હોવાના ઉલ્લેખ પુરાણોમાંથી મળે છે. મૌર્યકાળ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ વ્યાપક રીતે વિસ્તરેલો હોય તેમ જણાય છે. ક્ષત્રપોને સમય લગભગ ઈ.સ. ૧00થી 100 સુધીને ગણાય છે. ક્ષત્રપો વિદેશી હતા. આથી તેમને કયે ધર્મ હશે તે કહી શકાતું નથી. તેમ છતાં તેમાંના કેટલાક રાજવીઓ જેવા કે રુદ્રદામા, રુદ્રસેન, રુદ્રસિંહ વગેરેનાં નામ સાથે પૂર્વાર્ધમાં રૂદ્ર” શબ્દ પ્રયોજાયેલો છે, એ જોતાં એ શિવભક્ત હશે એમ માની શકાય. જયદામાના તાંબાના ચોરસ સિકકા ઉપર વૃષભ અને શિવનાં પ્રતીક મળે છે. શામળાજીમાંથી ક્ષત્રપકાલનાં કેટલાંક શૈવશિલ્પ મળેલ છે. દા. ત., ભીલડીના વેશમાં પાર્વતીનું શિલ્પ, માહેશ્વરી માતૃકા, ચામુંડામાતૃકા વગેરે. ક્ષત્રપકાલ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ પ્રચલિત હતો. શિવના ૨૮ મા અવતાર પૈકી ૨૭મો અવતાર પ્રભાસમાં સોમ શર્મા રૂપે અને ૨૮મો અવતાર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy