SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૦૧ સામયિક એટલે મનની સમતા કેળવવાને વિધિ. આ ક્રિયામાં પિતાની શક્તિ પ્રમાણે મનને સ્થિર રાખી ધર્મધ્યાન કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે પાપ કબૂલી પુણ્ય તરફ પાછા ફરવાને વિધિ. જૈન પરંપરામાં દિવસનું અને રાત્રિનું એમ બે પ્રકારનાં પ્રતિક્રમણ કરવાનાં હોય છે. રાત્રિ દરમિયાન કરેલાં પાપોનો સ્વીકાર સવારના પ્રતિક્રમણમાં કરવાને હેય છે, અને દિવસ દરમિયાન કરેલાં પાપોને સ્વીકાર રાત્રિના પ્રતિક્રમણમાં કરવાનું હોય છે. કર્મનું મહત્વ : જૈનધર્મ કર્મપ્રધાન છે. અહીં નવ તત્વો દ્વારા કર્મનું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. આ નવ તો તે (૧) જીવ, (૨) અજીવ, (૩) પાપ, (૪) પુણ્ય, (૫) બંધ, (૬) મેક્ષ, (૭) આત્રવ, (૮) સંવર, (૯) નિર્જરા. આ નવ તત્વોમાં પ્રથમ છને અર્થ સામાન્ય છે. આ સ્ત્રવ, સંવર અને નિર્જરાનું મહત્ત્વ સવિશેષ છે. આસ્રવ એટલે કર્મોનું આત્મા તરફ વહેવું. ખરાબ કર્મો આત્માને મલિન બનાવે છે. ખરાબ કર્મોને અટકાવી શકાય છે. તેને સંવર કહેવાય. આ કાર્ય આચાર દ્વારા થઈ શકે. જૈનધર્મમાં પૂર્વ જન્મનાં કર્મો માટે નિર્જરાની કલ્પના કરવામાં આવી છે. તીવ્ર તપ દ્વારા પરભવનાં કર્મોને જલાવી દેવાં, ખંખેરી નાખવાં તેને નિર્જરા કહે છે. સંઘ : જૈનધર્મમાં સંઘના ચાર ભેદ છેઃ (૧) સાધુ, (૨) સાવી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા. આ પૈકી પહેલા બે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના નિયમો પાળે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ સંસારમાં રહી સદાચારના નિયમો પાળે છે. નવકારમંત્રઃ અહેતાને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયને અને લોકોમાં રહેલા જ્ઞાનીઓને નમસ્કાર કરવાને આ મંત્રનો ઉદેશ છે. જૈનધર્મમાં આ મંત્રનું મહત્ત્વ બ્રાહ્મણના ગાયત્રી મંત્ર જેટલું છે. જૈન ધર્મના સંપ્રદાયઃ આ ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છેઃ (૧) શ્વેતાંબર, (૨) દિગબર સમય જતાં આ બે સંપ્રદાયમાંથી અનેક ગ૭ અને પેટાગચ્છ અસ્તિત્વમાં આવ્યા. શ્વેતાંબર એટલે જેણે વેતવસ્ત્ર ધારણ કર્યા છે તે. દિગંબર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy