SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન પાછળ પણ લેવાની બદલવાની ઈચ્છા કરે તે નિઃસ્વાર્થપણું ટકી ન શકે. પરમ ફળ મેક્ષ મળે ત્યાં સુધી સહાય કરનાર આ સાધુ વર્ગ છે. માટે “ના જીપ વસાહૂ” આખા રાજ્યની પ્રજા, આખા રાજ્યને રાજા દીવાન ન કહેવાય, પણ આખા રાજ્યની પ્રજા કહેવાય, તેમ અરિહંતાદિક માટે બહુવચન મૂકી બધા અરિહંતે જણાવ્યા, પણ સાધુને અંગે બહુવચન અને સવ શબ્દ બે મૂક્યા. હવે સર્વ સાધુ પણ મારું લશ્કર મારા દેશનું રક્ષણ કરે. સ્વયંસેવકને પિતાની ટૂકડી તે મે ષ, કારણ કે તેમાં મારૂં તારૂં ન પાલવે. સ્વયંસેવકે-સાધુઓ મોક્ષમાર્ગ માત્રને માટે મદદ કરે. તેને દેશ, કુળ, જાતિ, સગા, પેટભેદ ન હોય, એ સ્વયંસેવક વર્ગ. નિઃસ્વાથી સાધુવર્ગને આખા જગતમાં જેને દેશ, જાતિ, કુળ, ગામ પર પ્રતિબંધ નહિ. કઈ ગામમાં એક સાધુ બિમાર પડ્યા હોય, ખબર પડી પછી તે ગામના પાદરમાંથી બીજા સાધુ વિહાર કરી બીજે ગામ તપાસ કર્યા વગર આગળ જાય, તે જેટલાં ડગલાં ચાલે તેટલાં ડગલાં પ્રમાણે ઉપવાસ આલેયણ આવે. આ શિક્ષા શાને અંગે સડન થાય? મેક્ષમાર્ગનું સાધ્ય હેવાથી. મોક્ષ રાજધાની જીતવા માટે. તાબે. કરવામાં આવે પછી રાજયાભિષેક થાય ત્યારે થાય પણ લશ્કરને ઝડે લઈ રાજધાનીમાં પ્રવેશ કરવાનો હુકમ. રાજા પાછળ રહે, તેમ અહીં મેક્ષ માર્ગને અંગે કિર્લો સર કરે, નિવિદને મુસાફરને આગળ વધારવે, આ બધું કાર્ય સાધુ કરે. જગતભરના સર્વ સાધુઓનું પાંચમું પદ તેની આરાધના જણાવી. આરાધના કબુલ, આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ થાય, પણ વિરાધનાથી અનિષ્ટતા થતી નથી. આ કલ્પવૃક્ષ આરાધીએ તે ઈષ્ટ આપે. પણ કુહાડાથી કાપીએ તે ઈષ્ટ આપતું બંધ થાય, પણ નુકસાન ન થાય. કેટલાક પદાર્થો આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ હેય ને વિરાધનાથી ડૂબાડે, તેમ સાધુપદ આરાધનાથી ઈષ્ટ ફળ મળે, અને વિરાધનાથી અનિષ્ટ ફળ મળે. સાધુ–સ્વયંસેવકતેને ધેલ મારી તેની ફરિયાદ ન હોય. ફોજદાર મામલતદારને ધોલ મારે તે ફરિયાદ કરાય, પણ સ્વયંસેવક ક્ષમા રાખે, પણ નુકશાન કરવાનો સંભવ ન હોય. સાધુ તે છે કે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy