SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मों धर्मार्थिभिः नरैः। अन्यथा धर्मबुद्ध्यैव तद्विधातः प्रसज्यते ॥ (अष्ट, २१ श्लोक, १) બુદ્ધિ ધર્મની રહેવા માત્રથી ધર્મ થતું નથી. બુદ્ધિ ધર્મની છતાં, તે ધર્મ ન પણ હોય, અધમ હોય તેને માની આચરણ થાય તે તે ધર્મવિઘાતક છે. એ વસ્તુ સમજાવવા નીચેનું દષ્ટાંત ઉપયોગી છે – એક રાજા જંગલમાં ફરવા ગયે છે. ત્યાં તેણે એક ભૂલા પડેલા અંધ મુસાફરને કુવામાં પડેલ છે. આ મુસાફર ભૂખ તથા તરસથી પીડાતું હતું. રાજાએ ઉપકાર કરવા માટે તેને કૂવામાંથી બહાર કાઢ, તે, ભૂખ્યું હોવાથી તેને ખાવા આપ્યું, તે તરસે હોવાથી તેને જ આપવું, ઔષધિના મેગે તેને દેખતે કર્યો, અને માર્ગ પણ બતાવ્યો. પેલે મુસાફર મનમાં વિચારે છે કે લેશ પણ ઓળખાણ વગર આ રાજાએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેને બદલે ન વાળું તે હું મનુષ્ય શી રીતે ગણાઉં? જૈનમાં અને જૈનેતરમાં એક બીજો ફરક પણ સમજવા જેવો છે. જૈનેતરો વાતવાતમાં ભગવાનના ઘેર ધામા નાખે છે, દુઃખ આવે તે કહે “ભગવાને આપ્યું” કાંઈ ઈચ્છા હોય તેય “હે ભગવાન! તું આપ!” જૈને એ રીતિએ ભગવાનને વળગતા નથી. જેને તે ભગવાનને મોક્ષ માટે માને છે. સુખદુઃખની પ્રાપ્તિમાં તે કારણભૂત કર્મ જ માને છે. પેલા અંધ મુસાફરે પણ આ ન્યાયે ભગવાનને પ્રાર્થના કરી કે “હે ભગવાન! મારે ઉપકારને બદલે વાળવાને છે. માટે એ રાજાને તું અંધ બનાવ, ભૂલે પાડ, કૂવામાં પાડ, ભૂખ્યો અને તરસ્યા રાખ, અને પછી મને ત્યાં પહોંચાડ એટલે હું ત્યાં પહેચી ઉપકારને બદલે વાળું. અને તેને દેખતે બનાવી શકું, તેને અન્ન, જળ આપી શકું તથા માર્ગે ચઢાવી શકું, એવી સ્થિતિવાળો હે ભગવાન! મને બનાવી દે.” વિચારો કે આ મુસાફરની બુદ્ધિ ઉપકારની જ છે પણ પરિણામ કર્યું ? અાવ ર જાતુ (દા. ૨૨) | કઈ વૃદ્ધ, યુવાને કરેલા ઉપકારને બદલે વાળવા એમ ઈચ્છે કે “તું વૃદ્ધ થા, નબળે થા. તે મને તારા ઉપકારને બદલે વાળવાની તક મળે.” ઉપકારની અવી વિનાનું પરિણામ કર્યું?
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy