SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ - પર્વ મહિમા દર્શન એક મનુષ્યગતિ સિવાય બીજી જાતિમાં મનુષ્યપણાનું જ્ઞાન, ઉત્તમતાનું જ્ઞાન, તેનાં કારણે વિચારવાની દિશા પણ નથી, જ્યાં દિશા નથી ત્યાં વસ્તુ મળે જ શાની ? ન મળે. એક જ જગતમાં હજુ નહિ જાણેલી, ઈષ્ટ નહિ લાગેલી એવી વસ્તુ કારણે નહિ મેળવેલાં છતાં પણ મળી જાય છે. માબાપની મહેરબાની હોય તે છોકરો ભલે -દાગીનાને સેનાને રૂપાને જાણતા નથી, ઈષ્ટ નથી જાણતે, છતાં માબાપ પરાણે લાવીને પણ આપે છે. છોકરાએ સોનું રૂપું જાણ્યું નથી, તેની સુંદરતાનાં કારણે મેળવ્યાં નથી; પણ માબાપ મમતાથી છોકરાને મેળવી દે છે. પણ આ જીવ પર કઈ મહેરબાની કરનાર નથી, અને આ જીવને મહેરબાનીની રાહે કોઈ મનુષ્યભવ દેતું પણ નથી. ભવિતવ્યતા : શંકા થશે કે તે મનુષ્યભવ મને શી રીતે ? મળે છે એ ચક્કસ, તે શી રીતે મળે ? તે ભવિતવ્યતાએ. કોઈ કહેશે પણ તેના માથે શીંગડું છે? ભવિતવ્યતા બધાની કેમ નહિ ? આપણી જ કેમ ? મનુષ્ય પણું મળ્યું તે આપણું સત્કર્મથી જ મળ્યું છે. સત્કર્મ વગર મળે તે ભક્તિવ્યતા કહી શકાય. આ કાળમાં પ-૧૦-૧૦૦ વરસે છૂટી જનાર એ મનુષ્યભવ છે. ભવિતવ્યતાએ શુભ કર્મ વગર મનુષ્યભવ આપી દીધું હોય તેમ બનતું નથી. શુભકર્મ બાંધ્યા વગર કોઈ મનુષ્ય થતું નથી. તે ભવિતવ્યતા કામની નહિ ને ? પણ શુભ કર્મ જે થયું તેમાં આપણે વિચાર ન હતા, પણ ભવિતવ્યતાના જેગે થયું છે તેથી ત્યાં ભવિતવ્યતા ગઠવી. અન્ય ગતિમાં મનુષ્યપણાનું ફળ વગેરે જાણ્યા ન હતા. શુભકર્મ માટે આમ પ્રયત્ન કરાય તેમ જાણ્યું ન હતું, છતાં તે થઈ ગયે તેનું નામ ભવિતવ્યતા. સીધા શબ્દમાં કહીએ તે ધૂળમાં રમનાર છોકરા જમીન દે તે રમવા માટે, પણ રમતાં રમતાં નીચેથી રતન નીકળી પડયું. છેકરાએ રતન જાણ્યું ન હતું. તે માટે જમીન દવા માંડી ન હતી, પણ ભાગ્યથી જમીન ખેદતાં રતન મળી ગયું. આપણે એકેન્દ્રિમાં રખડતા હતા, ભવિતત્સતીના ગે અકામ નિર્જરા થઈ ગઈ. તેથી ભાગ્ય ખૂછું અને મનુષ્ય થઈ ગયા. એક છોકરાને રત્ન મળી ગયું. તે જોયા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy